<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>હાલાર - અપડેટ Archives - My Samachar</title>
	<atom:link href="https://mysamachar.in/category/halar-update/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://mysamachar.in/category/halar-update/</link>
	<description>Online News Portal for Gujarat</description>
	<lastBuildDate>Fri, 08 May 2026 06:58:07 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://mysamachar.in/wp-content/uploads/2023/11/cropped-mysamachar-sample-logo-03-round-32x32.png</url>
	<title>હાલાર - અપડેટ Archives - My Samachar</title>
	<link>https://mysamachar.in/category/halar-update/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
<site xmlns="com-wordpress:feed-additions:1">231578003</site>	<item>
		<title>દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</title>
		<link>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/</link>
					<comments>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 06:56:45 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60838</guid>

					<description><![CDATA[<p>દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/">દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.<br />
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજ દ્વારા સાંજના સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમની ફરજ પર હતા. ત્યારે આ રેલી રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચતા રેલીમાં આવેલા શખ્સોએ હાઈવે બ્લોક કરીને જાહેર વાહન વ્યવહારને અડચણ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું.<br />
આથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓએ આરોપીઓને તેમના વાહન રસ્તાની એક બાજુ ઊભા રાખવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક ઉપરાંત અન્ય શખ્સોએ એકસંપ કરી, અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓને બિભત્સ ગાળો ભાંડી હતી.<br />
આટલું જ નહીં, આરોપીઓએ પથ્થરોના ઘા કરી ફરજ પરના પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી &#8211; દરવાજામાં તોડફોડ મચાવી હોવાનું તથા આ બઘડાટીમાં રૂ. 22,000 જેટલું નુકસાન થયાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.<br />
આ સમગ્ર ઘટના અંગે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ તથા અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકાના ડી.વાય.એસ.પી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.</p>
<p>The post <a href="https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/">દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60838</post-id>	</item>
		<item>
		<title>શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</title>
		<link>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/</link>
					<comments>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:31:19 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60821</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે. ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે.</p>
<p style="text-align: justify;">ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે તો તપાસ કરતા ખબર પડી કે કેમ સહીઓ થાય છે બધી એ ન પુછશો&#8230;..!!! ગ્રાહક સુરક્ષા એટલેકે પુરવઠા અધીકારી દરેક મામલતદારો ગેસ સીલીન્ડરની ગુણવતા અને ઓપરેટીંગ નિયમો શીખવાડવા કે ચેક કરવા ગયા છે કે નહી તે સવાલ છે તો ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રીક સાધનો અંગે પણ તોલમાપ,બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડે કે ગ્રાહક સુરક્ષા વિભાગ આ સાધનોની ક્ષમતા અને ગુણવતા ચેક કરતા હશે કે નહી તે નાગરીકોને ખ્યાલ નથી અને કાયદા મુજબ ગ્રાહક રાજા છે તેમ કહેવાય છે,રેસ્ટોરન્ટ કે ધાબા કે નાસ્તાની દુકાન કેબીન વગેરેમા કેટલી સાંકડી જગ્યાઓમાં લાઇટના ઝાકઝમાળ સાથે ગેસના બાટલાના તાપ આગ ન લગાડે તો જ નવાઇ કહેવાય તેવુ જ ગોડાઉનોમાં છે બાંધકામ થતુ હોય ત્યારે જ હવા ની હેરફેર ચકાસવામાં ન આવે પગલા લેવામાં ન આવે તો ગમે તેટલા ફાયર સેફટી સાધનોનો કોઇ મતલબ નથી.</p>

<p style="text-align: justify;">અમુક બહુ માળીમાં એનઓસી લેવા માટે રબ્બર પાઇપના ફોલ્ડ દેખાય છે પરંતુ તે પાણીના ટાંકા સાથે જોડાયેલા છે કે નહી તે નક્કી નથી હોતુ  અથવા પાણીનો ટાંકો ચોવીસ કલાક ભરેલો જ રહે છે કે નહી તે ચેક કરવાની ફરજ કોની તે બાબતની અગણીત લોકોને ખબર જ નથી આ બધા વચ્ચે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સીસ્ટમ  કે કોડ ઓફ પ્રેક્ટીસ કોને કહેવાય,આ જાણકારી આપવી અને કડક અમલવારી કરાવવાની જવાબદારી ફાયર સાથે લગત ઘણા વિભાગની છે કેમકે આગ લાગે ત્યારે જો જાડુ કરવાનુ હોય તો બધા વિભાગો દોડી આવે છે નહીતર માત્ર ફાયર વિભાગ દોડધામ કરે આગ બુજાવે કારણ શોધે નુકસાની નુ સર્ટીફીકેટ આપે છે</p>
<p style="text-align: justify;">માર્ચ મહીનામાં ચોક્કસ સ્થળોએ આ પ્રેક્ટીસની મોસમ ખીલે છે તો બીજી તરફ જામનગર જલ્લા અને દરેક તાલુકાઓમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાળા કોલેજો જાહેર સ્થળોએ આગ સહિતની આપતીઓની મોકડ્રીલ કરવા કે નોટીસ આપવાનું ડીઝાસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાવ બંધ કરી દીધુ હોય એવુ લાગે છે.કેમકે જુદા જુદા બે ડઝનથી વધુ કેટેગરીના સ્થળે ડીઝાસ્ટર મેનેજમેન્ટ નોટીસ આપતુ શું કરવુ શું ન કરવુ ની સુચના અને સમજણ આપતુ તે આઠેક વરસથી સદંતર બંધ હોવાનુ જાણકારો કહે છે.</p>

<p style="text-align: justify;"><em><strong>-કેટલીય શાળા, કોલેજો, રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ,હોસ્પીટલ્સ, દવાખાનાઓ,શોપીંગ સેન્ટર,શોરૂમમાં ઇમરજન્સી એક્ઝીટ નથી તે વચ્ચે વધુ એક તાકીદ </strong></em></p>
<p style="text-align: justify;">જામનગર મહાનગરપાલિકા તેમજ જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના હદ વિસ્તારમાં આવેલ તમામ મોલ, મલ્ટિપ્લેક્ષ, હોસ્પીટલ, શાળા-કોલેજો, હોટલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્ષ પેટ્રોલપંપ, ગેસ ગોડાઉન તેમજ પેટ્રોલીયમ સ્ટેશન, અનાજ દળવાની ઘંટી કે  સંગ્રહની જગ્યાઓ જેવા એવા તમામ બિલ્ડીંગો તથા અન્ય જગ્યાએ જેમાં સામાન્ય લોકોની ૫૦ થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બિલ્ડીંગોના માલિકો/ઓક્યુપાયરે,ગુજરાત ફાયર સેફ્ટી કાયદા  તથા તેની હેઠળના નિયમો મુજબ તમામ  માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) મેળવવું તથા સમયાંતરે તેનો રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે.</p>
<p style="text-align: justify;">રિન્યુઅલ પ્રક્રિયા Gujarat Fire Safety COP પર ઓનલાઇન કરવાની આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બિલ્ડીંગના માલિક/ઓક્યુપાયર પર રહેશે.જે એકમોએ હજી સુધી સર્ટિફિકેટ મેળવેલ નથી અથવા રિન્યુઅલ બાકી છે, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી લેવી અન્યથા ચાલુ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</p>
<p style="text-align: justify;">વધુમાં ધી જી.પી.એમ.સી. એકટ-1949 ની કલમ-263 તથા 264 મુજબ તમામ બાંધકામ કરનાર આસામીઓએ બાંધકામ અંગેનાં વિકાસ પરવાનગી અને વપરાશ પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે.  તમામ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સાધનો કાર્યરત છે તેની નિયમિત ચકાસણી કરવી તથા સમયાંતરે મેઇન્ટેનન્સ કરાવવું.ઉનાળાની સીઝનમાં આગના મોટા ભાગના બનાવ ઇલેક્ટ્રિકલ કારણોસર થતા હોય, બિલ્ડીંગની ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોનું સરકાર માન્ય કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિટ કરાવવું.</p>

<p style="text-align: justify;">એસી યુનિટ્સ સતત વધુ ક્ષમતા પર ચલાવવાના બદલે યોગ્ય ગેપ સાથે ચલાવાવા તથા સમયસર સર્વિસિંગ કરાવવું.ઇમરજન્સી દરમિયાન સલામત બહાર નીકળવા માટે સ્ટેરકેસ તથા ઇવેક્યુએશન રૂટ હંમેશા ખુલ્લા અને અવરોધમુક્ત રાખવા. આ રૂટમાં કોઈપણ પ્રકારનો સામાન, ગોડાઉન, ઇલેક્ટ્રિકલ બોર્ડ કે એવી આડકતરી યુનિટ સ્થાપિત ન કરવી.બિલ્ડીંગના બેઝમેન્ટ, પાર્કિંગ અથવા અન્ય જગ્યાએ બિનઅધિકૃત ઉપયોગ, વર્કશોપ, કૅફેટેરિયા કે સ્ટોરેજ સંગ્રહ ન કરવો. નકામા (Scrap) સામાન જેવી જગ્યાઓએ ખાસ આગ સુરક્ષા પગલાં લેવા અને અગમ્યકારક સંગ્રહ ટાળવો.લેબ, કિચન અથવા અન્ય સ્થળો માટે ઊંચા કક્ષાના સલામતી સાધનો રખાવા.</p>
<p style="text-align: justify;">રેસ્ટોરન્ટ/કૅન્ટીન/તમામ બાંધકામોમાં પુરતા ઇમરજન્સી એક્ઝિટ રાખવા તથા જરૂરી ફાયર સેફ્ટી સાધનો (ફાયર એક્સ્ટિંગ્યુશર વગેરે) કાર્યરત સ્થિતિમાં રાખવા અનિવાર્ય રહેશે જેથી આગ લાગવાના બનાવોને ટાળી તાત્કાલિક બચાવ થઈ શકે.આ તમામ સૂચનાઓનો કડકપણે અમલ કરવો. કોઈપણ પ્રકારની બેદરકારી જણાય તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેર નોટિસની સુચનાઓનું અવગણન જો કોઈ કારણના સાધનો અને NOC ની કામગીરી બાકી હોય અને જોડાણ અનધિકૃત અથવા બળજોરથી તેની બધી જ જવાબદારી જે-તે જગ્યાના ઉપયોગકર્તા તેમજ માલિકની રહેશે જેની મ્યુ.કમીશનર અને જાડા ચેરમેન દિનેશ મોદી દ્વારા  સખત તાકીદ કરવામાં આવી છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60821</post-id>	</item>
		<item>
		<title>ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</title>
		<link>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/</link>
					<comments>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:20:04 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60818</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યુ હતું. દ્વારકા શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉત્ખનનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામો સહિત ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રના સાંસ્કૃતિક મ,વસાહતની પદ્ધતિ અને દરિયાઈ વેપાર સહિતની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબધ્ધ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>રોમન સામ્રાજ્ય સહિત વિદેશી દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર &#8211;</u></p>
<p style="text-align: justify;">બેટ દ્વારકા પ્રાચીન સમયથી દરિયાકાંઠાની વસાહતો અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે જાણીતું છે. સાહિત્યિક પરંપરાઓમાં આ ટાપુનો &#8216;અંતરદ્વીપ&#8217; તરીકે ઉલ્લેખ છે જયારે વિદ્વાનો તેને પ્રાચીન ગ્રીક ગ્રંથ &#8216;પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’માં વર્ણવેલ ‘બારાકા’ સાથે જોડે છે. આ વિસ્તાર ભૌગોલિક સ્થિતિા કારણે પ્રાચીન સમયમાં રોમન સામ્રાજ્ય સહિતના દેશો સાથેના વિદેશી દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર રહયુ હોય તેવા પૂરાવા પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>ઉત્ખનનમાં મળ્યા મહત્વના પુરાવાઓ &#8211;</u></p>
<p style="text-align: justify;">વર્તમાન ઉત્ખનન કામગીરી બેટ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કીકરના વૃક્ષો, થોરની ગીચ વનસ્પતિ અને વન્યજીવોની હાજરીને કારણે અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારકા અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં થયેલ ઉત્ખનન કામગીરીમાં મહત્ત્વપૂર્ણ પૂરાવાઓ તથા અવશેષો પ્રાપ્ત થયા છે. ઉત્ખનન દરમ્યાન જમીનની અંદર પથ્થરની બનેલ માળખાકીય બાંધકામના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, સિકકા અને લોખંડની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. જે-તે સમયના સાંસ્કૃતિક અને વેપારી સબંધો પર પ્રકાશ પાડે છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>દ્વારકાના અરબી સમુદ્રમાં પણ સંશોધન કાર્ય &#8211;</u></p>
<p style="text-align: justify;">ગત ડિસેમ્બર માસથી શરૂ કરાયેલ અન્ડરવોટર સર્વેક્ષણની કામગીરી યાત્રાધામ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પણ કરવામાં આવેલ. જેમાં પણ પુરાતત્ત્વ વિભાગને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પૂરાવાઓ પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>પ્રાચીન વસાહતનું સાતત્ય&#8230; &#8211;</u></p>
<p style="text-align: justify;">પુરાતત્ત્વ વિભાગ દ્વારા અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ પૂર્વ કિનારે BSD-1 થી BSD-4 તરીકે ઓળખાતા ચાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પત્થરના સ્થાપત્યો મળી આવ્યા હોય જે આ ટાપુ પર ‘પ્રોટોહિસ્ટોરિક’ (આદ્ય &#8211; ઐતિહાસિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસાહત રહી હોવાનું સાબિત કરે છે. આ ઉત્ખનન દ્વારા ભારતની સમૃદ્ધ સમુદ્રી વિરાસત અને પ્રાચીન વિશ્વ સાથેના તેના ગાઢ સબંધો વિશે વધુ ઊંડી માહિતી મળવાની અપેક્ષા છે.<strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>
<p style="text-align: justify;">
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60818</post-id>	</item>
		<item>
		<title>જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</title>
		<link>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/</link>
					<comments>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 05 May 2026 06:50:12 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60815</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો કે જામનગર મનપાને હવે યાદ આવ્યું કે આવા તો કેટલાય રેસ્ટોરન્ટ અને ધાબાઓ ગામની ફરતે છે&#8230;.!!! જેમાં નિયમોનો ઉલાળિયો થાય છે.</p>
<p style="text-align: justify;">આગ લાગે ત્યારે કુવો ખોદવાની મનપાની પ્રણાલી અગાઉથી જ છે તેવી જ રીતે આ કિસ્સામાં પણ હવે જામનગર આસપાસની પેરીફરીમાં આવા રેસ્ટોરન્ટ અને ધાબાઓ જેમની પાસે મનપાની બી.યુ પરમીશન નથી કે ફાયર એનઓસી નથી તેને સીલીંગ કરવા કાફલો આજે નીકળી પડ્યો જેમાં ઠેબા ચોકડી નજીક જામનગરી રેસ્ટોરન્ટ અને શિવ રેસ્ટોરન્ટને સીલીંગ કરી દેવામાં આવ્યા છે અને આસપાસમાં આવેલ અન્ય ધાબાઓ અને રેસ્ટોરન્ટમાં આજના દિવસે આવી કાર્યવાહી સતત આગળ ધપવાની હોવાનું જાણવા મળે છે.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60815</post-id>	</item>
		<item>
		<title>કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</title>
		<link>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/</link>
					<comments>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Mon, 04 May 2026 09:06:32 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60808</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી. આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/">કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી. આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી પતિ દેસુર સુવાએ ઘાતક હથિયારો વડે પોતાના પત્ની ઉપર હુમલો કરી, માથાના તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ આરોપીએ પોતે પણ દવા પી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આરોપીના પરિવારજન દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.</p>

<p style="text-align: justify;">જે અન્વયે પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, મેડિકલ ઓફિસર, આઈ.ઓ. તથા અન્ય સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાનમાં રાખી, અદાલતે આરોપી દેસુર જેસાભાઈ સુવાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂ. 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.</p>

<p>The post <a href="https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/">કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60808</post-id>	</item>
		<item>
		<title>જામનગર મનપા આ વખતે પ્રિ-મોન્સુન કામગીરી માટે 40 લાખ વાપરશે..!</title>
		<link>https://mysamachar.in/jamnagar-municipal-corporation-will-use-40-lakhs-for-pre-monsoon-work/</link>
					<comments>https://mysamachar.in/jamnagar-municipal-corporation-will-use-40-lakhs-for-pre-monsoon-work/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 02 May 2026 05:34:56 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60792</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર જામનગર શહેરી વિસ્તારમાં ચોમાસા પહેલા વરસાદી પાણીને લગત એવી દરેડથી  માંડી એક તરફ તળાવ સુધી અગીયાર કીલોમીટર  તો બીજી તરફના વિસ્તારો અને દરીયા તરફ જતા પાણીમાં મળતી થઇ કુલ  ચાલીસ કિ.મી.જેટલી  કેનાલો સાફ કરાવવીએ કોર્પોરેશન માટે પડકાર છે ભલે આ વખતે દર વખત કરતા ખર્ચ ઓછો થશે પરંતુ દેખરેખનો પરીશ્રમ તો મનપાના લગત બ્રાંચ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/jamnagar-municipal-corporation-will-use-40-lakhs-for-pre-monsoon-work/">જામનગર મનપા આ વખતે પ્રિ-મોન્સુન કામગીરી માટે 40 લાખ વાપરશે..!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર</p>
<p style="text-align: justify;">જામનગર શહેરી વિસ્તારમાં ચોમાસા પહેલા વરસાદી પાણીને લગત એવી દરેડથી  માંડી એક તરફ તળાવ સુધી અગીયાર કીલોમીટર  તો બીજી તરફના વિસ્તારો અને દરીયા તરફ જતા પાણીમાં મળતી થઇ કુલ  ચાલીસ કિ.મી.જેટલી  કેનાલો સાફ કરાવવીએ કોર્પોરેશન માટે પડકાર છે ભલે આ વખતે દર વખત કરતા ખર્ચ ઓછો થશે પરંતુ દેખરેખનો પરીશ્રમ તો મનપાના લગત બ્રાંચ તેમજ અધીકારીઓની જવાબદારી તો દર વખતની જેમ એટલી જ છે.આ બાબત  તંત્ર માટે પડકારજનક  છે અને રાબેતા મુજબ આ વખતે સફાઇના કોન્ટ્રાક્ટ જુદા જુદા ચાર કોન્ટ્રાક્ટરોને કુલ ચાલીસ લાખના ખર્ચે અપાયા છે.અને ગત 15 એપ્રિલથી આ કામગીરી શરુ કરાઈ છે.</p>
<p style="text-align: justify;">ચાલુ વર્ષે લાખોટા તળાવ ફીડીંગ કેનાલ અને આઉટ ફલો  કેનાલ તેમજ વરસાદી પાણીના નિકાલની કેનાલો, નાલા-પુલિયાઓ વિગેરેની સફાઈ ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત ચાર સ્થળોએથી એક સાથે કામ હાથ ધરાય અને ઝડપી થાય તે માટે કામ અપાયુ છે જો કે દર વખતની જેમ આ વખતે વરસાદી પાણી ભરાશે તો? આ સવાલ સાથે મનપા માટે આ કામગીરી હેડેક બની ગઇ છે પરંતુ ફરજના ભાગરૂપે કામ કરાવવુ પડે તે પણ હકીકત છે</p>
<p style="text-align: justify;">જામનગર મનપાએ આપેલી વધુ વિગત મુજબ ચોમાસા પહેલા અને ચાલુ ચોમાસાં દરમિયાન કરવાની કામગીરીમાં શહેરની અંદાજીત 40 કિલોમીટર લંબાઈની કેનાલોને 9 ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.જેમાં ,દરેડ ફીડીંગ કેનાલ પમ્પ હાઉસ, પટેલ પાર્ક, દિ. પ્લોટ 49, બોમ્બે દવા બજાર,એરફોર્સ-1 ગેટ સેના નગરથી વાયુનગર,ભીમવાસ થી નવાગામ, ઘાંચીની ખડકી, રંગમતિ નદી, એરફોર્સ-2 થી સત્યમ કોલોની,જુમા મસ્જીદ, એકડે એક બાપુ દરગાહ, સાત રસ્તા, ખોડીયાર મંદિર પાસે, રામેશ્વરનગર વિગેરે કેનાલોનો સમાવેશ થાય છે. આ કામગીરી તમામ ભાગોમાંથી શરૂ કરવામાં આવેલ છે અને  આ કામગીરીમાં 5-જેસીબી, 10-ટ્રેકટર તથા 35-મેનપાવર મારફત અલગ અલગ ભાગોમાં પિમોન્સુન કામગીરી ચાલુ છે. જે સમગ્ર ચોમાસા દરમ્યાન સફાઈ મેઈનટેઈન કરવામાં આવી રહ્યાનુ અધીકારીઓએ જણાવ્યુ છે.</p>

<p style="text-align: justify;">ઉપરાંત જાણવા મળ્યા મુજબ ડીપાર્ટમેન્ટલી કરવાની થતી કામગીરી અનુસંધાને ગુલાબનગર, મોહનનગર વરસાદી પાણીની ડ્રાઈ કેનાલ નવનાલા, બ્રિજ થઈ બળીયા હનુમાન થઈ વિભાપર થઈ રેલ્વે બ્રીજની કેનાલ કોર્પોરેશનના 1 હીટાચી, 3-જેસીબી તથા 3-ટ્રેકટર ધ્વારા શરૂ કરવામાં આવેલ છે અને હાલ આ  કામગીરીનો  ધમધમાટ  ચાલુ છે.</p>
<p style="text-align: justify;">ઉલ્લેખનીય છે કે અવાર નવાર આ કેનાલોમાં ગંદકી કચરા જામ થવા,પુરતી સફાઇ ન થવા,કેનાલો માથે ક્યાંક ક્યાંક ગેરકાયદેસર દબાણ થવા તેમજ કોર્પોરેશનનુ પુરતુ નીરીક્ષણ ન હોવા અને  સફાઇ વખતે પણ મનપાનુ પુરતુ સુપરવીઝન ન થવા વગેરે અંગે ફરીયાદો ઉઠતી રહેતી હોય છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/jamnagar-municipal-corporation-will-use-40-lakhs-for-pre-monsoon-work/">જામનગર મનપા આ વખતે પ્રિ-મોન્સુન કામગીરી માટે 40 લાખ વાપરશે..!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/jamnagar-municipal-corporation-will-use-40-lakhs-for-pre-monsoon-work/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60792</post-id>	</item>
		<item>
		<title>પ્રિ-મોન્સુન તૈયારી: આપાતકાલીન સ્થિતિમાં ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કામ કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ</title>
		<link>https://mysamachar.in/collector-urges-officials-to-work-with-zero-casualty-approach-in-emergency-situations/</link>
					<comments>https://mysamachar.in/collector-urges-officials-to-work-with-zero-casualty-approach-in-emergency-situations/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 02 May 2026 04:19:23 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60787</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી &#8216;ઝીરો કેઝ્યુઆલિટી&#8217;ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/collector-urges-officials-to-work-with-zero-casualty-approach-in-emergency-situations/">પ્રિ-મોન્સુન તૈયારી: આપાતકાલીન સ્થિતિમાં ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કામ કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી &#8216;ઝીરો કેઝ્યુઆલિટી&#8217;ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી.</p>
<p style="text-align: justify;">બેઠક દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે વહેણ પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતાં કોઝ-વે આઈડેન્ટીફાઈ કરી ત્યાં સાઈનેજ બોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા આદેશ આપ્યા હતા. આપાતકાલીન સ્થિતિમાં સ્થળાંતરની જરૂર પડે ત્યારે સંકલન સરળ રહે તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્લાનિંગમાં સાંકળી લેવા જણાવાયું હતું.</p>

<p style="text-align: justify;">વધુમાં, કલેક્ટરએ ભયજનક વૃક્ષોનું કટિંગ, જર્જરિત શાળા-આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પુરતો સ્ટોક રાખવા અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. પૂરની સ્થિતિમાં બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસી લેવા પણ તેમણે દિશા-નિર્દેશ આપ્યા હતા.આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.</p>
<p style="text-align: justify;">બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડ, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સજ્જતા અંગે વિગતો રજૂ કરી હતી.</p>

<p>The post <a href="https://mysamachar.in/collector-urges-officials-to-work-with-zero-casualty-approach-in-emergency-situations/">પ્રિ-મોન્સુન તૈયારી: આપાતકાલીન સ્થિતિમાં ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કામ કરવા કલેકટરની અધિકારીઓને તાકીદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/collector-urges-officials-to-work-with-zero-casualty-approach-in-emergency-situations/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60787</post-id>	</item>
		<item>
		<title>દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન</title>
		<link>https://mysamachar.in/operation-demolition-once-again-in-dwarka-panthak/</link>
					<comments>https://mysamachar.in/operation-demolition-once-again-in-dwarka-panthak/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 30 Apr 2026 05:14:54 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60778</guid>

					<description><![CDATA[<p>Mysamachar,in-દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની સામે તંત્રએ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/operation-demolition-once-again-in-dwarka-panthak/">દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar,in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની સામે તંત્રએ લાલ આંખ કરી અગાઉ ઓપરેશન ડિમોલિશન કર્યું હતું. આ પછી થોડા સમયના વિરામ બાદ આજે ગુરુવારે સવારથી જ સરકારી તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં દ્વારકામાં કેટલાક ધર્મ સ્થળો તેમજ અન્ય કાચા-પાકા બાંધકામ સહિતના દબાણોને દૂર કરવામાં માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.</p>

<p style="text-align: justify;">આજે સવારથી દ્વારકા નગરપાલિકા હેઠળના રૂપેણ બંદર વિસ્તારમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ દ્વારા સુનિયોજિત રીતે જરૂરી પ્રક્રિયા સંપન્ન કરીને જેસીબી જેવા સાધનોની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી. જેમાં કેટલાક ધર્મસ્થળો વિગેરેના કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા છે.</p>
<p style="text-align: justify;">આ દબાણ દૂર કરી અને સરકારી માલિકીની કિંમતી એવી હજારો ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેશના વિશાળ અને સંવેદનશીલ એવા દ્વારકા જિલ્લાના દરિયા કિનારામાં અગાઉ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલવા પામી હતી. જેથી દેશની સુરક્ષા માટે આ પગલું મહત્વનું હોવાનું પણ કહેવાય છે. આજથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં આ પ્રક્રિયા ત્રણ-ચાર દિવસ ચાલે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. <strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/operation-demolition-once-again-in-dwarka-panthak/">દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/operation-demolition-once-again-in-dwarka-panthak/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60778</post-id>	</item>
		<item>
		<title>રમકડા વેચવા આવેલ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જતા મોત</title>
		<link>https://mysamachar.in/two-children-of-a-family-who-came-to-sell-toys-drown-in-a-pond/</link>
					<comments>https://mysamachar.in/two-children-of-a-family-who-came-to-sell-toys-drown-in-a-pond/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 29 Apr 2026 05:30:43 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60771</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દ્વારકા નજીકના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે બે નાના બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ બનાવની મળતી માહિતી મુજબ દ્વારકા પંથકમાં રહેતા શ્રમિક પરિવારના કેટલાક સભ્યો ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વરવાળા ગામે રમકડાં વેચવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમના બાળકો નજીક આવેલા [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/two-children-of-a-family-who-came-to-sell-toys-drown-in-a-pond/">રમકડા વેચવા આવેલ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જતા મોત</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દ્વારકા નજીકના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે બે નાના બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ બનાવની મળતી માહિતી મુજબ દ્વારકા પંથકમાં રહેતા શ્રમિક પરિવારના કેટલાક સભ્યો ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વરવાળા ગામે રમકડાં વેચવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમના બાળકો નજીક આવેલા તળાવ પાસે રમતા હતા. ત્યારે અચાનક તેઓ પાણીમાં ઊતરી ગયા અને ડૂબી જવાની દુર્ઘટના બની હતી.</p>

<p style="text-align: justify;">આ ઘટનામાં 12 વર્ષના રાજીવ, અને 10 વર્ષના અજય નામના બે બાળકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. આ સાથે અન્ય એક ત્રીજા બાળકને તાત્કાલિક સારવાર અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/two-children-of-a-family-who-came-to-sell-toys-drown-in-a-pond/">રમકડા વેચવા આવેલ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જતા મોત</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/two-children-of-a-family-who-came-to-sell-toys-drown-in-a-pond/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60771</post-id>	</item>
		<item>
		<title>દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ</title>
		<link>https://mysamachar.in/5-lakh-voters-in-devbhoomi-dwarka-district/</link>
					<comments>https://mysamachar.in/5-lakh-voters-in-devbhoomi-dwarka-district/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Mon, 27 Apr 2026 04:07:56 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60748</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ, 58.16 ટકા [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/5-lakh-voters-in-devbhoomi-dwarka-district/">દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે.</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ, 58.16 ટકા સ્ત્રી મળી સરેરાશ 64.02 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠક માટે 68.07 ટકા, ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 57.32 ટકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 65.58 ટકા અને દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 62.42 ટકા મતદાન થવા પામ્યું છે.</p>
<p style="text-align: justify;">ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની 9 વોર્ડની 31 બેઠક માટેની ચૂંટણીમાં 61.84 ટકા અને જામ રાવલ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણીમાં 79.12 ટકા મતદાન થવા પામ્યું છે. આ સાથે સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 57.31 ટકા મતદાન થયું છે.</p>

<p style="text-align: justify;">જિલ્લામાં કુલ 2,99,743 પુરુષ અને 2,32,993 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, જિલ્લામાં કુલ 5 લાખ 32 હજાર 736 લોકોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ચૂંટણીમાં સલાયાની પેટા ચૂંટણીમાં પુરુષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ રહ્યું છે. આ વચ્ચે નોંધનીય છે કે મતદાન પૂર્વે જ ખંભાળિયાની વોર્ડ નંબર 6 ની આખી પેનલ તેમજ અન્ય એક ઉમેદવાર સહિત નગરપાલિકાના 5 ઉમેદવારો અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.</p>
<p style="text-align: justify;">ગઈકાલે રવિવારે રાત્રે જિલ્લાના તમામ 420 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં શીલ થયા છે અને જે-તે સ્થળે સુરક્ષિત રીતે ઈ.વી.એમ. મશીનો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. મંગળવાર તા. 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ખુલશે. હાલ કોણ ઉમેદવાર જીતશે અને કોણ હારશે તે અંગેની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે.</p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ અને ઢેબર બેઠક પર સૌથી ઓછું મતદાન &#8211;</u></p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની વાડીનાર (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 83.97 ટકા મતદાન અને તાલુકા પંચાયતમાં કાઠી દેવળીયા (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 86.04 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું મતદાન ઢેબર બેઠક પર 53.02 ટકા અને તાલુકા પંચાયતની ધ્રાસણવેલ (દ્વારકા) બેઠક પર 36.77 ટકા મતદાન થયું છે.</p>
<p style="text-align: justify;">જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ, જિલ્લા પંચાયતની બેઠકમાં ભાણવડ તાલુકામાં આવતી વેરાડ બેઠક પર 61.90 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી નંદાણા બેઠક પર 74.16 ટકા, દ્વારકા તાલુકામાં આવતી વરવાળામાં 68.17 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક પર 73.97 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી ભોગાત બેઠક પર 83.29 બેઠક અને દ્વારકા તાલુકામાં આવતી વરવાળા બેઠક પર 81.50 ટકા સૌથી વધુ મતદાન થયું છે.</p>
<p style="text-align: justify;">જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકામાં આવતી ચારબારા બેઠક પર 57.89 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક 53.02 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી લાંબા બેઠક પર 54.88 ટકા, દ્વારકા તાલુકામાં આવતી બરડીયા બેઠક પર 55.87 ટકા તેમજ તાલુકા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ચારબારા બેઠક પર 55.50 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ગડુ બેઠક પર 41.40 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી પટેલકા બેઠક પર 47.21 ટકા અને દ્વારકા તાલુકામાં આવતી ધ્રાસણવેલ બેઠક પર 36.77 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.  નગરપાલિકામાં જોઈએ તો ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 8 માં 70.11 ટકા, જામ રાવલના વોર્ડ નં. 6 માં 86.45 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 7 માં 56.06 ટકા અને જામ રાવલના વોર્ડ નં. 71.11 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે. મતદાનના આંકડા ટેન્ટેટિવ છે.<strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>
<p>The post <a href="https://mysamachar.in/5-lakh-voters-in-devbhoomi-dwarka-district/">દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/5-lakh-voters-in-devbhoomi-dwarka-district/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60748</post-id>	</item>
	</channel>
</rss>
