<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>My Samachar</title>
	<atom:link href="https://mysamachar.in/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://mysamachar.in/</link>
	<description>Online News Portal for Gujarat</description>
	<lastBuildDate>Sat, 04 Jul 2026 06:35:15 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://mysamachar.in/wp-content/uploads/2023/11/cropped-mysamachar-sample-logo-03-round-32x32.png</url>
	<title>My Samachar</title>
	<link>https://mysamachar.in/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
<site xmlns="com-wordpress:feed-additions:1">231578003</site>	<item>
		<title>જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ..એ સિવાય રાજ્યમાં</title>
		<link>https://mysamachar.in/22-inches-of-rainfall-in-mangrol-taluka-of-junagadh-district-in-the-last-24-hours/</link>
					<comments>https://mysamachar.in/22-inches-of-rainfall-in-mangrol-taluka-of-junagadh-district-in-the-last-24-hours/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 04 Jul 2026 06:34:45 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[જુનાગઢ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61254</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જૂનાગઢ: રાજ્યમાં ગત 24કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, જૂનાગઢના જ માળિયા હાટીનામાં ૧૪ ઇંચ, ડાંગના વઘઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/22-inches-of-rainfall-in-mangrol-taluka-of-junagadh-district-in-the-last-24-hours/">જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ..એ સિવાય રાજ્યમાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જૂનાગઢ:</p>
<p style="text-align: justify;">રાજ્યમાં ગત 24કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, જૂનાગઢના જ માળિયા હાટીનામાં ૧૪ ઇંચ, ડાંગના વઘઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે.</p>
<p style="text-align: justify;">આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તથા મેંદરડા તાલુકામાં 12-12 ઇંચ તેમજ તાપીના ડોલવણમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વધુ, રાજ્યના 14 તાલુકાઓમાં 5થી 10 ઇંચ, 85 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ તથા 118 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે.</p>
<p style="text-align: justify;">રાજ્યમાં આજે તા. 4 જુલાઇ, 2026 ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે રાજ્યના કુલ સરેરાશ વરસાદના 13.27 ટકા જેટલો થાય છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોસમના કુલ સરેરાશ વરસાદના 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38  ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.</p>

<p style="text-align: justify;">અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11 ટકા જેટલો ભરાયો છે. જ્યારે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70 થી 100 ટકા, 20 ડેમ 50 થી 70 ટકા, 58 ડેમ 25 થી 50 ટકા, 118 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં, 02 ડેમ હાઇ એલર્ટ, 01 ડેમ એલર્ટ અને 07 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.</p>
<p style="text-align: justify;">સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર યાદી મુજબ રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 NDRFની ટીમ અને 25 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે તા. 10 જૂન, 2026 થી આજદિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે 2174ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/22-inches-of-rainfall-in-mangrol-taluka-of-junagadh-district-in-the-last-24-hours/">જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ..એ સિવાય રાજ્યમાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/22-inches-of-rainfall-in-mangrol-taluka-of-junagadh-district-in-the-last-24-hours/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61254</post-id>	</item>
		<item>
		<title>જામનગરથી માંડી મહાનગરોમાં અને મથકોએ પક્ષના શિસ્ત અનુશાસનના પગલાં બાદ ભાજપમાં જ હજુ અવિરત પડઘા</title>
		<link>https://mysamachar.in/partys-disciplinary-actions-continue-to-echo-within-the-bjp/</link>
					<comments>https://mysamachar.in/partys-disciplinary-actions-continue-to-echo-within-the-bjp/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 04 Jul 2026 05:57:46 +0000</pubDate>
				<category><![CDATA[રાજકારણ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61251</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર સત્તા મેળવ્યા બાદ જાળવી રાખવા માટે ભાજપની રણનીતિ કડક પગલા લેવા માટે જાણીતી છે ત્યારે શહેરમાં હજુ સંગઠનને મનપાના શાસનથી દૂર કર્યું ત્યાં વળી મહામંત્રી જેવા મહત્વના પદમાથી હજુ નવનિયુક્ત વરણીનો નિર્ણય બદલી ફેરફારનો આંતરિક રીતે આંચકારૂપ નિર્ણય એવા સંકેત કરે છે કે હજુય મોવડી મંડળ કંઈકને કંઈક ફેરફાર કરતું રહેશે જે શિસ્ત કે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/partys-disciplinary-actions-continue-to-echo-within-the-bjp/">જામનગરથી માંડી મહાનગરોમાં અને મથકોએ પક્ષના શિસ્ત અનુશાસનના પગલાં બાદ ભાજપમાં જ હજુ અવિરત પડઘા</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong>Mysamachar.in-જામનગર</strong></p>
<p style="text-align: justify;"><strong>સત્તા મેળવ્યા બાદ જાળવી રાખવા માટે ભાજપની રણનીતિ કડક પગલા લેવા માટે જાણીતી છે ત્યારે શહેરમાં હજુ સંગઠનને મનપાના શાસનથી દૂર કર્યું ત્યાં વળી મહામંત્રી જેવા મહત્વના પદમાથી હજુ નવનિયુક્ત વરણીનો નિર્ણય બદલી ફેરફારનો આંતરિક રીતે આંચકારૂપ નિર્ણય એવા સંકેત કરે છે કે હજુય મોવડી મંડળ કંઈકને કંઈક ફેરફાર કરતું રહેશે જે શિસ્ત કે અનુશાસન પાલન સાથે છબી જાળવવાના બહુ મોટા પગલાં તરીકે જોવાય છે અને એકંદર આગામી વિધાનસભા ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખી પરિવર્તનો અને સુધારાઓ થઈ રહ્યાનું રાજકીય વિશ્લેષકોનું અનુમાન છે </strong></p>
<p style="text-align: justify;"><strong>હોદો અને પદ કાયમી નથી તે રાજકીય ઇતિહાસ છે જેમાંથી જામનગર બાકાત નથી પરંતુ અચાનક બનતી બાબતો એ કોઈની સક્રિયતા અને કોઈની નિષ્ક્રિયતાનો સંકેત ચોક્કસ છે વળી રાજકીય ક્ષેત્રમાં જૂથની રમતો હંમેશા રહે છે અને તક મળ્યે દાવ પણ લેવાય છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>આવી નિશ્ચિત ગણાતી અનિશ્ચિતતા વચ્ચે જામનગરમાં એક તરફ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓએ હજુ ઠોસ નિર્ણય લેવાનું શરૂ નથી કર્યું ત્યા તો ભાજપ શહેર સંગઠનને સંકલનમાંથી બાકાત કરવાનો આંચકારૂપ નિર્ણય લેવાયો જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને અસરો બાદની હજુ નવી ચોપાટ ગોઠવાઈ નથી ત્યાં શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી જેવો મહત્વનો હોદો ધરાવતા ભાવેશ ઠુમ્મરને હટાવી ભાવેશ કાનાણીને મુકાયા છે.</strong></p>

<p style="text-align: justify;"><strong>પક્ષ પ્રમુખ બીનાબેન કોઠારીએ સંગઠનની સૂચનાનું પાલન કરી આ ફેરફાર અમલમાં મૂક્યો છે કેમ કે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે અને ભાજપની લોકપ્રિયતાના કારણે વ્યક્તિલક્ષી રાજકારણના બદલે સંગઠનાત્મક રાજકારણ આગળ ધપ્યું છે પરંતુ સપાટી ઉપર દેખાય છે તેવું બધું જ સરળ નથી હોતું, શક્ય છે કે નવા સમીકરણો આકાર લઈ રહ્યા છે. ચાલુ ટ્રેનમાં ચઢી મુસાફરીનો આનંદ લેવો રોમાંચક હોય પરંતુ એ જ સ્થાને બીજું કોઈ તક ઝડપી ટ્રેનમાં ચડે ત્યારે લાંબી મુસાફરી કરનારને આચકો તો લાગે જ ને ? અને દરેક જગ્યાએ પોતાના જ હોય તે દરવખતે શક્ય પણ નથી માટે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જામનગરના સત્તા પક્ષના રાજકારણમાં હજુ ઘણા ફેરફારોના આંચકાઓની અટકળો હાલ તેજ બની છે. </strong></p>
<p style="text-align: justify;"><strong>શહેર ભાજપમાં બધું બરાબર નથી તેવા સંકેતો વચ્ચે સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત ભાવેશ ઠુમ્મરના સ્થાને ભાવેશ કાનાણીની નિમણૂક કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. માત્ર એ જ વાત નથી કેમકે આ સમગ્ર ઘટનાક્રમને વધુ રસપ્રદ બનાવતી બાબત એ છે કે ભાવેશ ઠુમ્મરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, &#8220;મેં કોઈ રાજીનામું આપ્યું નથી.&#8221; બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું છે કે પાર્ટીએ સંગઠનના નિર્ણય મુજબ મહામંત્રીને રિપ્લેસ કર્યા છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ વિપરીત નિવેદનો બાદ શહેર ભાજપના સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા હોવાની અટકળો વધુ તેજ બની છે. છેલ્લા કેટલાક સમયથી સંગઠન અને જનપ્રતિનિધિઓ વચ્ચે તાલમેલના અભાવ અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી. મહામંત્રીની અચાનક બદલાવની કાર્યવાહીથી આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે. જોકે ભાજપ તરફથી તેને સામાન્ય સંગઠનાત્મક ફેરબદલી ગણાવવામાં આવી રહી છે, છતાં સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય પાછળના કારણો આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>હવે સૌની નજર એ બાબત પર છે કે આ ફેરફાર માત્ર સંગઠનાત્મક પુનર્ગઠન છે કે પછી શહેર ભાજપની અંદર પ્રમુખની જાણબહાર ચાલી રહેલા આંતરિક અસંતોષનું પ્રતિબિંબ. આગામી દિવસોમાં પાર્ટી તરફથી વધુ સ્પષ્ટતા આવે છે કે નહીં તે જોવું પણ રસપ્રદ બની રહેશે.કેમકે ભાજપના જ એકધારા શાસનમાં જ અમુકના ઉદય અને અમુકના અસ્ત બાદ ક્યાંક ચમકારા રૂપી આશાનું કિરણ અને તક ઝડપી લેવાની આવડતોના ખેલ વચ્ચે જ્યારે પક્ષના મોવડીઓ અવલોકનોના પરિપાક કોઈ કોઈને તો આચકો આપે તેવા જ હોય ને ??</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/partys-disciplinary-actions-continue-to-echo-within-the-bjp/">જામનગરથી માંડી મહાનગરોમાં અને મથકોએ પક્ષના શિસ્ત અનુશાસનના પગલાં બાદ ભાજપમાં જ હજુ અવિરત પડઘા</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/partys-disciplinary-actions-continue-to-echo-within-the-bjp/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61251</post-id>	</item>
		<item>
		<title>રેન્જ IG ની ટીમના સતત દરોડાઓ વચ્ચે જામનગરનું ખાણખનિજ તંત્ર એકાએક જાગતા જાણકારીથી ટીકાનો વહ્યો ધોધ</title>
		<link>https://mysamachar.in/61248-2amidst-continuous-raids-by-the-range-igs-team-jamnagars-mining-department-suddenly-sprang-into-action/</link>
					<comments>https://mysamachar.in/61248-2amidst-continuous-raids-by-the-range-igs-team-jamnagars-mining-department-suddenly-sprang-into-action/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 04 Jul 2026 04:19:19 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61248</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: કોઇપણ ગેરકાયદેસરની પ્રવૃતિનો વ્યાપ સામાજિક આર્થિક અને સલામતી લગત સવાલો ઊભા કરે છે તે વાતને ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ જામનગર અને દ્વારકા જિલ્લાઓમાંથી અવિરત ખનીજ ચોરી ઝડપી રહી છે ત્યારે જે વિભાગની આ જવાબદારી છે તે ખાણ ખનીજના જામનગરના બાબુઓને શરમ આવતા એકાએક બળુકા થઈને ખટારાઓ પણ ડિટેન કરવા લાગતા [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/61248-2amidst-continuous-raids-by-the-range-igs-team-jamnagars-mining-department-suddenly-sprang-into-action/">રેન્જ IG ની ટીમના સતત દરોડાઓ વચ્ચે જામનગરનું ખાણખનિજ તંત્ર એકાએક જાગતા જાણકારીથી ટીકાનો વહ્યો ધોધ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">કોઇપણ ગેરકાયદેસરની પ્રવૃતિનો વ્યાપ સામાજિક આર્થિક અને સલામતી લગત સવાલો ઊભા કરે છે તે વાતને ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ જામનગર અને દ્વારકા જિલ્લાઓમાંથી અવિરત ખનીજ ચોરી ઝડપી રહી છે ત્યારે જે વિભાગની આ જવાબદારી છે તે ખાણ ખનીજના જામનગરના બાબુઓને શરમ આવતા એકાએક બળુકા થઈને ખટારાઓ પણ ડિટેન કરવા લાગતા ટ્રક ચાલકોએ આ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો તો ભૂસ્તર શાસ્ત્રીને લાગી આવ્યું અને તરત જ માહિતી કચેરી દ્વારા ઘટનાની વિગત માધ્યમોને આપવા દોડ્યા હતા, જાણકારો કહે છે તમે જે જે ગેરરીતિઓને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ ગેરરીતિને પોષતા હોવ અને દાખલારૂપ કામ ન કરવાના બહાનાઓ આપતા હોવ અને બાદમાં ઓચિંત જ કંઈક કરવા નીકળી પડો તો ઘર્ષણ તો થવાનું જ છે ને ??</p>
<p style="text-align: justify;">ધ્રોલ-જોડિયા વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી માટે ચર્ચામાં રહ્યો છે. અગાઉ પણ રાજકોટ રેન્જની પોલીસ, વિવિધ તપાસ એજન્સીઓ અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે. તેમ છતાં ગેરકાયદેસર ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકતી ન હોવાના કારણે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.</p>
<p style="text-align: justify;">બીજી તરફ, ખાણ-ખનિજ વિભાગની કામગીરી અને દેખરેખ અંગે પણ અગાઉ અનેક વખત પ્રશ્નો ઉઠ્યા છે. આવા સંજોગોમાં આ કાર્યવાહી બાદ હવે માત્ર વાહનો જપ્ત કરવાથી આગળ વધીને સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક સુધી તપાસ પહોંચશે કે નહીં, તેના પર સૌની નજર છે.</p>

<p style="text-align: justify;">ખાણ અને ખનિજ વિભાગે જણાવ્યું છે કે ખનિજ ચોરી, ગેરકાયદેસર પરિવહન અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે ત્યારે એક જ કાર્યવાહીનો પ્રચાર કેમ? બાકીની તપાસો, મંજૂરીઓ અને કાર્યવાહી પણ જાહેર થશે?</p>
<p style="text-align: justify;">જામનગરમાં જોડિયા પંથકમાં ખાણ અને ખનિજ વિભાગની કાર્યવાહી બાદ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિગતવાર અખબારી યાદી જાહેર કરવામાં આવી. પ્રશ્ન એ છે કે આ એક જ કાર્યવાહીનું આટલું પ્રચારાત્મક પ્રકાશન કેમ?</p>
<p style="text-align: justify;">જો પારદર્શિતા જ હેતુ હોય, તો પછી માત્ર એક જ કેસ નહીં, પરંતુ છેલ્લા કેટલાય મહિનામાં ખાણ અને ખનિજ વિભાગે કરેલા તમામ ઇન્સ્પેક્શન, આપેલી મંજૂરીઓ, રદ કરાયેલી લીઝ, ગેરકાયદેસર ખનન સામે કરેલી કાર્યવાહી, જપ્ત કરાયેલા વાહનો, વસૂલાયેલા દંડ અને દાખલ થયેલી ફરિયાદોની માહિતી પણ જાહેર થવી જોઈએ.</p>
<p style="text-align: justify;">ધ્રોલ-જોડિયા વિસ્તાર વર્ષોથી ગેરકાયદેસર રેતી અને ખનિજ પ્રવૃત્તિઓને લઈને ચર્ચામાં રહ્યો છે. અનેક વખત વિવિધ એજન્સીઓએ દરોડા પાડ્યા હોવા છતાં આ પ્રવૃત્તિઓ ફરીથી કેવી રીતે શરૂ થાય છે? શું માત્ર ક્યારેક થતી કાર્યવાહીથી સમસ્યાનો અંત આવશે કે સમગ્ર વ્યવસ્થાની જવાબદારી પણ નક્કી થશે?</p>
<p style="text-align: justify;">જનતાના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન છે કે પારદર્શિતા પસંદગીની હશે કે સર્વવ્યાપક? જો સરકાર માહિતી જાહેર કરે છે, તો પછી તમામ કાર્યવાહીનો સમાન રીતે ખુલાસો કરવો જોઈએ. સારી કામગીરીનો પ્રચાર જેટલો જરૂરી છે, એટલી જ જરૂરી સંપૂર્ણ માહિતી અને જવાબદારી પણ છે.</p>
<p style="text-align: justify;">હવે નજર એ વાત પર છે કે સરકાર અને ખાણ-ખનિજ વિભાગ માત્ર આ એક કાર્યવાહી સુધી મર્યાદિત રહેશે કે પછી સમગ્ર તંત્રની કામગીરીને પણ જાહેર કરીને પારદર્શિતાનું સમાન ધોરણ અપનાવશે?? કેમકે  આ પ્રકારનું લખાણ સવાલો ઉઠાવે છે, પરંતુ કોઈ અપ્રમાણિત આરોપને હકીકત તરીકે રજૂ કરતું નથી.</p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><em><strong>-જો નિયમિત કામગીરી કરી હોત તો?? નિષ્ક્રિયતાથી જ પોલીસનું કામ વધ્યું છે</strong></em></p>
<p style="text-align: justify;">વાત જાણે એમ છે કે જોડિયા પંથકમાં, જામનગર ભૂસ્તરશાસ્ત્રીના સ્ટાફે ખનિજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ 8 વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે. જે મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.૧.૫ કરોડ જેટલી થાય છે.તપાસ દરમિયાન વાહન નંબર GJ-10-TY-6100ના માલિક એઝાઝભાઈએ તપાસ ટીમ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે</p>
<p style="text-align: justify;">હવે મુદ્દો છે કે જો આ કચેરી નિયમિત કામ કરતી હોય તો પોલીસનું કામ વધારવાની જરૂર જ ન પડી હોતને, લોકોના જાનમાલની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના પાલન માટે પોલીસ રાત દિવસ એક કરે છે ત્યારે લગત વિભાગો જો પોતાની ફરજો નિષ્ઠાથી નિભાવે તો પોલીસને કામનો બોજો વધે જ નહી તો મૂળભૂત ફરજમાં પોલીસને સાનુકૂળતા વધી શકે તેવું એક અવલોકન જોવા મળ્યું છે</p>
<p style="text-align: justify;">જો કે અમુક લોકોને શંકા છે કે કોઈ ચોક્કસ પ્રવૃતિને અનેક કારણોસર પોષનારાઓને રેલો આવતા પોલીસની મદદ લેવી પડી છે અને જો ફરજ નિષ્ઠાપૂર્વક નિયમિત બજાવી હોય તો ફરજ રુકાવટ થાય જ નહીં પરંતુ કોઈ અપેક્ષા કોઈ તરફેણ હેતુ થયેલી કામગીરી સામે આજ નહી તો કાલ પ્રત્યાઘાતો પડે તે તો પ્રતિપાદિત સિધ્ધાંત છે.</p>
<p>The post <a href="https://mysamachar.in/61248-2amidst-continuous-raids-by-the-range-igs-team-jamnagars-mining-department-suddenly-sprang-into-action/">રેન્જ IG ની ટીમના સતત દરોડાઓ વચ્ચે જામનગરનું ખાણખનિજ તંત્ર એકાએક જાગતા જાણકારીથી ટીકાનો વહ્યો ધોધ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/61248-2amidst-continuous-raids-by-the-range-igs-team-jamnagars-mining-department-suddenly-sprang-into-action/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61248</post-id>	</item>
		<item>
		<title>જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?</title>
		<link>https://mysamachar.in/rainfall-in-the-kalavad-and-jamjodhpur-regions-of-jamnagar-district-how-much-rain-in-which-village/</link>
					<comments>https://mysamachar.in/rainfall-in-the-kalavad-and-jamjodhpur-regions-of-jamnagar-district-how-much-rain-in-which-village/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 03 Jul 2026 05:43:36 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61244</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર શહેર અને જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ યથાવત રહ્યો પણ નોંધપાત્ર કહી શકાય તેવી મેઘમહેર માત્ર બે તાલુકાઓ જામજોધપુર અને કાલાવડમાં જ જોવા મળી..આ બન્ને શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઇ ગયા&#8230;આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન તાલુકા મથકના વરસાદના આંકડાઓ જોડીયામાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/rainfall-in-the-kalavad-and-jamjodhpur-regions-of-jamnagar-district-how-much-rain-in-which-village/">જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર શહેર અને જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ યથાવત રહ્યો પણ નોંધપાત્ર કહી શકાય તેવી મેઘમહેર માત્ર બે તાલુકાઓ જામજોધપુર અને કાલાવડમાં જ જોવા મળી..આ બન્ને શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઇ ગયા&#8230;આજે સવારે 6 કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન તાલુકા મથકના વરસાદના આંકડાઓ જોડીયામાં 1 ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ તો જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.</p>

<p style="text-align: justify;">તો ગ્રામીણ વિસ્તારોના PHC સેન્ટરોમાં નોંધાયેલ આંકડાઓ પર નજર કરવામાં આવે તો&#8230;કાલાવડના નવાગામમાં 4 ઇંચ, મોટા પાંચ્દેવડામાં 1 ઇંચ વરસાદ તો જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં 3 ઇંચ, જામવાડીમાં 4 ઇંચ, વાંસજાળિયામાં સાડા ચાર ઇંચ, ધુનડામાં સવા ઇંચ, ધ્રાફા અને પરડવામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયાનું સામે આવ્યું છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/rainfall-in-the-kalavad-and-jamjodhpur-regions-of-jamnagar-district-how-much-rain-in-which-village/">જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર..ક્યા ગામમાં કેટલો વરસાદ.?</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/rainfall-in-the-kalavad-and-jamjodhpur-regions-of-jamnagar-district-how-much-rain-in-which-village/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61244</post-id>	</item>
		<item>
		<title>ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી, સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ</title>
		<link>https://mysamachar.in/fraud-and-breach-of-trust-against-the-government-in-okha-through-the-tampering-of-e-way-bills/</link>
					<comments>https://mysamachar.in/fraud-and-breach-of-trust-against-the-government-in-okha-through-the-tampering-of-e-way-bills/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 03 Jul 2026 04:47:58 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61241</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ઓખામાં એક વાહનના નંબરમાં ફેરફાર કરી, માલસામાનના બિલમાં છેડછાડ કરીને સરકાર સાથે ઠગાઈ કરવા સબબ સાત સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાય છે.  આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂચના રહીશ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/fraud-and-breach-of-trust-against-the-government-in-okha-through-the-tampering-of-e-way-bills/">ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી, સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">ઓખામાં એક વાહનના નંબરમાં ફેરફાર કરી, માલસામાનના બિલમાં છેડછાડ કરીને સરકાર સાથે ઠગાઈ કરવા સબબ સાત સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાય છે.  આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂચના રહીશ રવિ કુંદનભાઈ મિશ્રા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જયસુખ કાળાભાઈ વાઢેર અને મહારાષ્ટ્ર &#8211; મુંબઈના હેલેરી પોલ એન્ટોની કેસ્ટેલી નામના સાત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.</p>
<p style="text-align: justify;">આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ભેગા મળી અને પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વયોજિત કાવતરું રચીને મહારાષ્ટ્ર પાસિંગના એક આઇસર વાહનના રજીસ્ટ્રેશન નંબરમાં 6 ના બદલે 8 કરી, બોગસ નંબર પ્લેટ તૈયાર કરીને તેનો વજન કાંટા સમયે ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.</p>

<p style="text-align: justify;">આ ઉપરાંત ઈ-વે બિલમાં પણ બબલુખાન નામના વ્યક્તિ કે જેઓની ઓખા ખાતે કોઈ પેઢી આવેલ નથી, તેમ છતાં તેઓને માલ સપ્લાયર તરીકે દર્શાવીને તેમજ ખોટો વજન દર્શાવીને ખોટું ઓનલાઈન કિંમતી જામીનગીરી મુજબનું ઈ-વે બિલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનો ખરા તરીકે ઉપયોગ કરી અને સરકારના જમા કરાવવાના થતા જીએસટીના નાણાંની ચોરી કરી, સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી, ઉપરોક્ત વાહનમાં ભરેલા માલ સામાનની બિલ કે ઈન્વોઇસની કોઈ હાર્ડ કોપી રજૂ કરી ન હતી.</p>
<p style="text-align: justify;">આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/fraud-and-breach-of-trust-against-the-government-in-okha-through-the-tampering-of-e-way-bills/">ઓખામાં ઈ-વે બિલમાં છેડછાડ કરી, સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/fraud-and-breach-of-trust-against-the-government-in-okha-through-the-tampering-of-e-way-bills/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61241</post-id>	</item>
		<item>
		<title>નવી નિમણૂંક મેળવનારા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્ર: રેવન્યુ તલાટી મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ છે:મુખ્યમંત્રી</title>
		<link>https://mysamachar.in/revenue-talatis-are-the-backbone-of-the-revenue-administration-chief-minister/</link>
					<comments>https://mysamachar.in/revenue-talatis-are-the-backbone-of-the-revenue-administration-chief-minister/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 03 Jul 2026 04:27:51 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61237</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂંક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ-તલાટીને મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ અને ગામડાના વહિવટનો આધારસ્તંભ ગણાવતાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને આહવાન કર્યુ કે, એવી પ્રજાહિતકારી કાર્ય પદ્ધતિ તેઓ અપનાવે કે ખરેખર તકલીફમાં જે વ્યક્તિ છે તેનું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/revenue-talatis-are-the-backbone-of-the-revenue-administration-chief-minister/">નવી નિમણૂંક મેળવનારા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્ર: રેવન્યુ તલાટી મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ છે:મુખ્યમંત્રી</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂંક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ-તલાટીને મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ અને ગામડાના વહિવટનો આધારસ્તંભ ગણાવતાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને આહવાન કર્યુ કે, એવી પ્રજાહિતકારી કાર્ય પદ્ધતિ તેઓ અપનાવે કે ખરેખર તકલીફમાં જે વ્યક્તિ છે તેનું કામ સરળતાએ પાર પડી જાય. આવા જરૂરતમંદ વ્યક્તિનો થતો સંતોષ અને તેના આશીર્વાદ એ ઈશ્વરના આશીર્વાદ સમાન છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.</p>
<p style="text-align: justify;">મુખ્યમંત્રીએ કહ્યું કે, રેવન્યુ તલાટી તરીકે ગ્રામજનોના અનેક પ્રશ્નો કે સમસ્યાઓ સ્થાનિક સ્તરે જ નિવારવાનું તેમનું દાયિત્વ હોવું જોઈએ. એટલુ જ નહિ, જે કંઈ પણ કામ થાય તે એવું વ્યવસ્થિત અને પદ્ધતિસરનું થાય કે મહેસૂલ વિભાગમાં કે સરકારમાં પણ તે કામને કારણે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો  ઉભા ન થાય.  ઉમેર્યુ કે, તલાટી પાસે આવતા લોકોની અપેક્ષાઓ એજ હોય છે કે તેનું કામ ઝડપી અને સરળતાએ થઈ જાય એટલે તલાટીએ હંમેશા સામેની વ્યક્તિમાં પોતાની જાતને મૂકીને કામગીરીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.</p>

<p style="text-align: justify;"><em><strong>-મુખ્ય સચિવ એમ.કે. દાસે જમીન પ્રશાસનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,</strong></em></p>
<p style="text-align: justify;">કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો જમીન વિના શક્ય નથી. આથી, ગામના જમીન રેકોર્ડ 100% સચોટ અને ક્ષતિરહિત રાખવા તેમજ સરકારી જમીનો, ગૌચર કે તળાવો પર થતા ગેરકાયદેસર દબાણો અટકાવી તેની ચુસ્ત દેખરેખ રાખવાની મુખ્ય જવાબદારી નવનિયુક્ત તલાટીઓની રહેશે.</p>

<p>The post <a href="https://mysamachar.in/revenue-talatis-are-the-backbone-of-the-revenue-administration-chief-minister/">નવી નિમણૂંક મેળવનારા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્ર: રેવન્યુ તલાટી મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ છે:મુખ્યમંત્રી</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/revenue-talatis-are-the-backbone-of-the-revenue-administration-chief-minister/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61237</post-id>	</item>
		<item>
		<title>જામનગર:જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી કામગીરી માટે લોકોએ જીલ્લામથકે ધક્કો ખાવો નહિ</title>
		<link>https://mysamachar.in/jamnagar-people-will-not-have-to-make-trips-to-the-district-headquarters/</link>
					<comments>https://mysamachar.in/jamnagar-people-will-not-have-to-make-trips-to-the-district-headquarters/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 03 Jul 2026 04:13:55 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61235</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટને કારણે જમીન માપણીઓમાં થયેલ ગોટાળાઓ પૂર્ણ થવાનું નામ લેતા નથી&#8230;ખુદ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ પણ આ વિભાગ બરોબર કામ ના કરતો હોવાની ટકોર ભૂતકાળમાંઅનેક વખત કરી ચુક્યો છે. માટે જ હવે રાજ્યના મહેસુલ વિભાગની સુચના બાદ જમીન દફતર ખાતાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. નાગરિકોને જમીન દફતર સંબંધિત [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/jamnagar-people-will-not-have-to-make-trips-to-the-district-headquarters/">જામનગર:જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી કામગીરી માટે લોકોએ જીલ્લામથકે ધક્કો ખાવો નહિ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટને કારણે જમીન માપણીઓમાં થયેલ ગોટાળાઓ પૂર્ણ થવાનું નામ લેતા નથી&#8230;ખુદ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ પણ આ વિભાગ બરોબર કામ ના કરતો હોવાની ટકોર ભૂતકાળમાંઅનેક વખત કરી ચુક્યો છે. માટે જ હવે રાજ્યના મહેસુલ વિભાગની સુચના બાદ જમીન દફતર ખાતાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.</p>
<p style="text-align: justify;">નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથક સુધી જવું ન પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જામનગર જિલ્લામાં 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ નીચે દર્શાવેલા નવા સ્થળ અને સરનામે કાર્યરત કરવામાં આવી છે.</p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>1. *જામનગર શહેર:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર (શહેર), મોજણી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, શરૂ સેકશન રોડ, જામનગર.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>2. *જામનગર ગ્રામ્ય:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર ગ્રામ્ય, સેવાસદન-૩, લાલ બંગલો કંપાઉન્ડ, પ્રથમ માળ, જામનગર.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>3. *કાલાવડ:* જમીન દફતર નિરીક્ષક કચેરી કાલાવડ, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધોરાજી રોડ, કાલાવડ.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>4. *ધ્રોલ:* જમીન દફતર નિરીક્ષક કચેરી ધ્રોલ, જૂનું કોર્ટ બિલ્ડિંગ, જોડિયા નાકા પાસે, જોડિયા રોડ, ધ્રોલ.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>5. *જોડીયા:* જમીન દફતર નિરીક્ષક કચેરી જોડીયા, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, જોડીયા.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>6. *લાલપુર:* જમીન દફતર નિરીક્ષક કચેરી લાલપુર, જ્ઞાનદિપ વિદ્યામંદિર, પટેલ શેરી, જૂની શાક માર્કેટ રોડ, લાલપુર.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong>7. *જામજોધપુર:* જમીન દફતર નિરીક્ષક કચેરી જામજોધપુર, સ્ટેશન પ્લોટ, અંજુ ભગવાનદાસ પારવાણીનું મકાન, મામલતદાર કચેરી સામે, જામજોધપુર.</strong></span></p>

<p style="text-align: justify;">નવી વ્યવસ્થા અમલી બનતા હવેથી જમીન દફતર ખાતાની તમામ વહીવટી કામગીરીઓમાં વેગ આવશે. અગાઉ નાગરિકોએ પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરીએ અને જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરીએ અલગ-અલગ જવું પડતું હતું, તેના બદલે હવે તાલુકા કક્ષાની આ એક જ કચેરીમાંથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્વામિત્વ યોજના સહિતની તમામ સેવાઓ એકસાથે મળી રહેશે.</p>
<p style="text-align: justify;">જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જમીન રેકર્ડ, માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પોતાના તાલુકાની સંબંધિત કચેરીનો સંપર્ક સાધવા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.સાથે જ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારી એચ.એસ. રબારી દ્વારા આ સેવાઓનો સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/jamnagar-people-will-not-have-to-make-trips-to-the-district-headquarters/">જામનગર:જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી કામગીરી માટે લોકોએ જીલ્લામથકે ધક્કો ખાવો નહિ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/jamnagar-people-will-not-have-to-make-trips-to-the-district-headquarters/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61235</post-id>	</item>
		<item>
		<title>ખંભાળિયાના આઘેડની હત્યા, દાગીનાની લૂંટ, 2 શખ્સો સામે ફરિયાદ</title>
		<link>https://mysamachar.in/murder-of-middle-aged-man-from-khambhalia-and-robbery-of-jewelry-complaint-filed-against-two-individuals/</link>
					<comments>https://mysamachar.in/murder-of-middle-aged-man-from-khambhalia-and-robbery-of-jewelry-complaint-filed-against-two-individuals/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 02 Jul 2026 08:19:38 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61230</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કર્યાની તથા રૂપિયા સાડા 24 લાખની કિંમતના આશરે 35 તોલા સોનાના દાગીનાની લૂંટ થયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/murder-of-middle-aged-man-from-khambhalia-and-robbery-of-jewelry-complaint-filed-against-two-individuals/">ખંભાળિયાના આઘેડની હત્યા, દાગીનાની લૂંટ, 2 શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કર્યાની તથા રૂપિયા સાડા 24 લાખની કિંમતના આશરે 35 તોલા સોનાના દાગીનાની લૂંટ થયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.</p>
<p style="text-align: justify;">આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં હજામ પાડો વિસ્તારમાં આવેલી પઠાપીરની દરગાહ પાસે રહેતા અને અહીંના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હોલસેલ &#8211; હરાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા ગત સાંજે આશરે છએક વાગ્યે તેમના નાનાભાઈ હમીદભાઈની અત્રે મેઈન બજારમાં આવેલી રેડી મેઈડ કપડાની દુકાને બેસવા આવ્યા હતા. ત્યાં તેમને કોઈ વ્યક્તિનો ફોન આવતા તેઓ આશરે સાતેક વાગ્યાના સમયે તેમની દુકાનેથી નીકળ્યા હતા. ત્યાર બાદ ખંભાળિયાથી આશરે નવ કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા કાચા રસ્તે આવેલા એક ભરડિયા નજીક તેમનો લોહી લોહાણ હાલતમાં શર્ટના ખુલ્લા બટન સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો.</p>

<p style="text-align: justify;">આના અનુસંધાને મૃતકના નાનાભાઈ હમીદભાઈ ઓસમાણભાઈ લાખા રહે. હજામ પાડોએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મોટાભાઈ આસીફભાઈ લાખાને ખંભાળિયામાં રહેતા હાજા ભારમલ આસાણી અને નામના બે શખ્સોએ ગુનાહિત કાવતરું રચીને તેમના મોટાભાઈ આસીફભાઈને વિરમદળ માર્ગ પર બોલાવ્યા હતા. જ્યાં આ બંનેએ તેમને બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે બેફામ માર મારી, હત્યા નિપજાવી હતી.</p>
<p style="text-align: justify;">આ પછી ઉપરોક્ત આ બંને શખ્સોએ આસિફભાઈએ પહેરેલા આશરે 35 તોલા જેટલા વજનના વજનદાર કિંમતી ચેન તથા અલગ અલગ છ વીંટીઓ લૂંટીને નાસી છૂટ્યા હતા. આ સોનાના દાગીનાની કુલ કિંમત આશરે રૂપિયા 24 લાખ 50 હજારની ગણવામાં આવી છે.મૃતક આસીફભાઈના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનતા અહીંની સરકારી હોસ્પિટલે આસીફભાઈના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ સાથે મોટી સંખ્યામાં નગરજનો દોડી ગયા હતા.  આ બનાવ હાલ ટોક ઓફ ટાઉન બની રહ્યો છે. જેમાં પોલીસે મૃતકના નાનાભાઈ હમીદભાઈ લાખાની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.<strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/murder-of-middle-aged-man-from-khambhalia-and-robbery-of-jewelry-complaint-filed-against-two-individuals/">ખંભાળિયાના આઘેડની હત્યા, દાગીનાની લૂંટ, 2 શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/murder-of-middle-aged-man-from-khambhalia-and-robbery-of-jewelry-complaint-filed-against-two-individuals/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61230</post-id>	</item>
		<item>
		<title>વિદ્યાર્થીને ફડાકો ઝીકનાર આચાર્ય સામે ગુન્હો</title>
		<link>https://mysamachar.in/case-registered-against-principal-who-slapped-a-student/</link>
					<comments>https://mysamachar.in/case-registered-against-principal-who-slapped-a-student/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 02 Jul 2026 04:55:45 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61228</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર શહેરમાં આવેલ એક સરકારી શાળાના આચાર્ય સામે વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ મામલો ગરમાયો છે. આ અંગેની સી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ કહે છે કે ગોકુલનગર પ્રજાપતિની વાડીની પાછળ ભાડાના મકાનમાં વસવાટ કરતા પ્રવિણભાઇ પાંડાવદરાનો પુત્ર ઘરની નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર 19માં અભ્યાસ કરે છે. અહી [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/case-registered-against-principal-who-slapped-a-student/">વિદ્યાર્થીને ફડાકો ઝીકનાર આચાર્ય સામે ગુન્હો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર શહેરમાં આવેલ એક સરકારી શાળાના આચાર્ય સામે વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ મામલો ગરમાયો છે. આ અંગેની સી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ કહે છે કે ગોકુલનગર પ્રજાપતિની વાડીની પાછળ ભાડાના મકાનમાં વસવાટ કરતા પ્રવિણભાઇ પાંડાવદરાનો પુત્ર ઘરની નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર 19માં અભ્યાસ કરે છે.</p>

<p style="text-align: justify;">અહી ગત 29 જુનના રોજ રાબેતા મુજબ તેનો પુત્ર શાળાએ અભ્યાસ અર્થે ગયેલ ત્યારે તેમના દિકરાએ શાળાના આચાર્ય રામભાઈને વોશરૂમ જવાનુ પુછતા તેવો એકદમ ગુસ્સે થઈ ગયેલ અને તેમના દિકરાને ડાબા કાન પર બે ઝાપટ મારેલ તેમજ જયારે પ્રવીણભાઈએ આ બાબતે શાળાના આચાર્યને પુછતા આચાર્યએ તેમને પણ ધકો મારી ગાળો આપવા ઉપરાંત ઝગડો કરી જાતી વિશે અપમાનીત કરી વિદ્યાર્થીના પિતા પ્રવીણભાઈને કહેલ કે તુ અહિયાથી નિકળી જા તારે જેમ કરવુ હોય તેમ કરજે હુ કોઇથી બીતો નથી તેમ ધમકી આપી હોવા અંગે વિવિધ કલમો હેઠળ સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે જેની તપાસ SC-ST સેલના DYSP કરશે.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/case-registered-against-principal-who-slapped-a-student/">વિદ્યાર્થીને ફડાકો ઝીકનાર આચાર્ય સામે ગુન્હો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/case-registered-against-principal-who-slapped-a-student/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61228</post-id>	</item>
		<item>
		<title>ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગ કરવાનો એ કેસ, 3 ડોક્ટર 24 વર્ષે નિર્દોષ</title>
		<link>https://mysamachar.in/case-of-bogus-voting-in-the-gujarat-ayurveda-university-senate-election-3-doctors-acquitted-after-24-years/</link>
					<comments>https://mysamachar.in/case-of-bogus-voting-in-the-gujarat-ayurveda-university-senate-election-3-doctors-acquitted-after-24-years/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 02 Jul 2026 04:18:27 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=61226</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: અઢી દાયકા પૂર્વેનો એ ચર્ચાસ્પદ બનેલ કેસ ફરી ત્યારે તાજો જયારે એ કેસમાં સંડોવાયેલ ત્રણ તબીબોને અદાલતે 24 વર્ષની કાનૂની લડત બાદ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો&#8230; આ કેસની વકીલે આપેલ હકિકત એવી છે કે, ગુજરાત આર્યુવેદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદ બારાઈ ધ્વારા જામનગર સીટી &#8216;બી&#8217; ડીવી.પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવેલ કે, 2002 [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/case-of-bogus-voting-in-the-gujarat-ayurveda-university-senate-election-3-doctors-acquitted-after-24-years/">ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગ કરવાનો એ કેસ, 3 ડોક્ટર 24 વર્ષે નિર્દોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">અઢી દાયકા પૂર્વેનો એ ચર્ચાસ્પદ બનેલ કેસ ફરી ત્યારે તાજો જયારે એ કેસમાં સંડોવાયેલ ત્રણ તબીબોને અદાલતે 24 વર્ષની કાનૂની લડત બાદ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો&#8230; આ કેસની વકીલે આપેલ હકિકત એવી છે કે,</p>
<p style="text-align: justify;">ગુજરાત આર્યુવેદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદ બારાઈ ધ્વારા જામનગર સીટી &#8216;બી&#8217; ડીવી.પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવેલ કે, 2002 માં ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટીમાં સેનેટની ચુંટણી કે, જે અલગ અલગ જીલ્લામાં યોજાયેલ અને તેમાં મતદાન કરવામાં આવેલ તેમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્રો છપાવી અને અન્યના નામે ખોટું મતદાન કરી અને ચુંટણી જીતવાની કોશીશ કરેલ છે અને આ તમામ ખોટા ઓળખપત્રોના આધારે મતદાન કરેલ, જે મતદાન કાર્ડ મતગણતરી દરમ્યાન મતપેટીમાંથી નીકળતા જે તે વખતે મતદાન કમીટી દ્વારા તેવા ઓળખપત્રો કબજે કરી શીલ કરેલ અને ગુજરાતના 23 સેન્ટર પર આ મતદાન કેન્દ્ર ખોલવામાં આવેલ</p>

<p style="text-align: justify;">જે પૈકી કુલ 171 બોગસ ઓળખપત્રો મળેલ, અને તેથી ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટીએ  વિજીલન્સ ઓફીસરોને તપાસ સોંપેલ અને તપાસના અંતે સેનેટની ચુંટણીના ઉમેદવારી નોંધાવનાર ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ આ ત્રણ  સામે જામનગર સીટી &#8216;બી&#8217; ડીવી.પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજો બનાવી અને ચુંટણીમાં ગેરરીતી કરી અને ગુનાહીત કાવતરૂ રચવાનો ગુનો નોંધાયેલ અને તેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ હતી,</p>
<p style="text-align: justify;">આ કેસ તે સમયે જામનગરમાં ખુબજ ચર્ચાસ્પદ થયેલ અને આ કેસ જામનગરની અદાલતમાં ચાલેલ અને તેમાં આર્યુવેદીક યુર્નીવસીટીના રજીસ્ટ્રાર તેમજ મદદનીશ કુલ સચિવની જુબાની લેવાયેલ, તેમજ તપાસમાં કુલ 63જેટલા સાક્ષી સાહેદોની જુબાની લેવામાં આવેલ, તેમાં અલગ અલગ જીલ્લાના ડોકટર્સ તથા તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવામાં આવેલ અને 24 વર્ષના લાંબા સમય સુધી આ કાનુની ન્યાની લડત ચાલેલ અને તમામ પુરાવા બાદ આરોપી ડોકટર્સ તરફે દલીલો કરવામાં આવેલ કે, રાજકીય કીન્નાખોરીથી ચુંટણીમાં જીતવા માટે આરોપીઓ ખોટી રીતે સંડોવી દીધેલ છે, અને આ ડોકટર્સ ભવિષ્યમાં પણ ચુંટણીમાં ઉભા ન રહે અને આ આર્યુવેદીક યુનીર્વસીટીના કોભાંડો અને ગે૨રીતિઓ બાબતે કોઈ રજુઆતો ન કરે તેટલા માત્ર આશયથી સંડોવી દીધેલ છે,</p>

<p style="text-align: justify;">આ તમામ રજુઆતો બાદ જામનગરની અદાલત ધ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આરોપીઓની 24 વર્ષની લડાઈના અંતે ન્યાય મળતા આરોપીઓના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે, આ કેસમાં આરોપીઓ ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ તરફ જામનગરના ખ્યાતનામ  વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરન. કે. પટેલ રોકાયેલા હતા.</p>
<p>The post <a href="https://mysamachar.in/case-of-bogus-voting-in-the-gujarat-ayurveda-university-senate-election-3-doctors-acquitted-after-24-years/">ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગ કરવાનો એ કેસ, 3 ડોક્ટર 24 વર્ષે નિર્દોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/case-of-bogus-voting-in-the-gujarat-ayurveda-university-senate-election-3-doctors-acquitted-after-24-years/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">61226</post-id>	</item>
	</channel>
</rss>
