<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>My Samachar</title>
	<atom:link href="https://mysamachar.in/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://mysamachar.in/</link>
	<description>Online News Portal for Gujarat</description>
	<lastBuildDate>Fri, 08 May 2026 06:58:07 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://mysamachar.in/wp-content/uploads/2023/11/cropped-mysamachar-sample-logo-03-round-32x32.png</url>
	<title>My Samachar</title>
	<link>https://mysamachar.in/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
<site xmlns="com-wordpress:feed-additions:1">231578003</site>	<item>
		<title>દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</title>
		<link>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/</link>
					<comments>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 06:56:45 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60838</guid>

					<description><![CDATA[<p>દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/">દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.<br />
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજ દ્વારા સાંજના સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમની ફરજ પર હતા. ત્યારે આ રેલી રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચતા રેલીમાં આવેલા શખ્સોએ હાઈવે બ્લોક કરીને જાહેર વાહન વ્યવહારને અડચણ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું.<br />
આથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓએ આરોપીઓને તેમના વાહન રસ્તાની એક બાજુ ઊભા રાખવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક ઉપરાંત અન્ય શખ્સોએ એકસંપ કરી, અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓને બિભત્સ ગાળો ભાંડી હતી.<br />
આટલું જ નહીં, આરોપીઓએ પથ્થરોના ઘા કરી ફરજ પરના પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી &#8211; દરવાજામાં તોડફોડ મચાવી હોવાનું તથા આ બઘડાટીમાં રૂ. 22,000 જેટલું નુકસાન થયાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.<br />
આ સમગ્ર ઘટના અંગે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ તથા અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકાના ડી.વાય.એસ.પી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.</p>
<p>The post <a href="https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/">દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/fir-against-sevan-in-dwarka/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60838</post-id>	</item>
		<item>
		<title>મહેસૂલ વિભાગ ચિંતન શિબિર સમાપન:નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે</title>
		<link>https://mysamachar.in/revenue-department-chintan-shibir-concludes-deputy-chief-minister-tells-officials/</link>
					<comments>https://mysamachar.in/revenue-department-chintan-shibir-concludes-deputy-chief-minister-tells-officials/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 03:58:28 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60834</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો ગતરોજ આખરી દિવસ હતો જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવીએ &#8216;કલેક્ટર&#8217; હોદ્દાને માત્ર જમીન સુધારણા કે લેન્ડ ગવર્નન્સ સુધી સીમિત ન રાખતા, તેમને જિલ્લાના સાચા વડા તરીકે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી પરિવર્તન ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તેનું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/revenue-department-chintan-shibir-concludes-deputy-chief-minister-tells-officials/">મહેસૂલ વિભાગ ચિંતન શિબિર સમાપન:નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;"><strong>મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો ગતરોજ આખરી દિવસ હતો જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા </strong><strong>હર્ષ સંઘવીએ &#8216;</strong><strong>કલેક્ટર&#8217; </strong><strong>હોદ્દાને માત્ર જમીન સુધારણા કે લેન્ડ ગવર્નન્સ સુધી સીમિત ન રાખતા, </strong><strong>તેમને જિલ્લાના સાચા વડા તરીકે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, </strong><strong>વહીવટી પરિવર્તન ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તેનું સીધું ફળ છેવાડાના નાગરિક સુધી પહોંચશે. અધિકારીઓએ ઓફિસના નીતિ-નિયમોની સાથે લોકાભિમુખ અભિગમ અપનાવીને પોતાની જવાબદારીમાં સકારાત્મક બદલાવ લાવવો જોઈએ, </strong><strong>જેથી નિવૃત્તિ સમયે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યાનો આત્મસંતોષ મળી શકે.</strong></p>
<p style="text-align: justify;"><strong>જિલ્લાના આર્થિક વિકાસ અંગે ચર્ચા કરતા તેમણે સૂચવ્યું હતું કે, </strong><strong>પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે કલેક્ટર કચેરીએ વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. એકમો અને ઇન્વેસ્ટરો માટે જિલ્લા સ્તરે જ વધુ નક્કર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ ઉપરાંત, </strong><strong>જિલ્લામાં કાર્યરત મોટી ઇન્ડસ્ટ્રીઝના સી.એસ.આર. (CSR) </strong><strong>ફંડનો મહત્તમ લાભ જે-તે જિલ્લાના પછાત કે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે વપરાય તે જોવાની જવાબદારી પણ કલેક્ટરઓની છે, </strong><strong>તેમ તેમણે ઉમેર્યું હતું.</strong></p>

<p style="text-align: justify;"><strong>કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં તેમણે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી કે, </strong><strong>અસામાજિક તત્ત્વો પર લગામ કસવા માટે &#8216;</strong><strong>પાસા&#8217; </strong><strong>કે &#8216;</strong><strong>તડીપાર&#8217; </strong><strong>જેવી દરખાસ્તો પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળવા જોઈએ અને મહત્તમ કડક પગલાં લેવાં જોઈએ. વળી, </strong><strong>કલેક્ટર કચેરીની સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા તેમણે જણાવ્યું હતું કે, </strong><strong>સરકારી કચેરીઓના શૌચાલયો અને પરિસર ખાનગી મિલકતો કરતા પણ વધુ સ્વચ્છ હોવા જોઈએ, </strong><strong>જે પ્રજામાં તંત્રની સારી છાપ ઊભી કરે છે. </strong><strong>હર્ષ સંઘવીએ અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે, </strong><strong>દરેક કલેક્ટરઓને માત્ર જમીનના વિષયો પૂરતા મર્યાદિત ન રહીને, </strong><strong>જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા સૂચન કર્યું હતું.</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/revenue-department-chintan-shibir-concludes-deputy-chief-minister-tells-officials/">મહેસૂલ વિભાગ ચિંતન શિબિર સમાપન:નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/revenue-department-chintan-shibir-concludes-deputy-chief-minister-tells-officials/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60834</post-id>	</item>
		<item>
		<title>પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં ઓગસ્ટથી રેલગાડીઓનું થશે શિફ્ટિંગ</title>
		<link>https://mysamachar.in/passenger-reservation-system-to-shift-trains-from-august/</link>
					<comments>https://mysamachar.in/passenger-reservation-system-to-shift-trains-from-august/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 03:54:18 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60832</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in- રેલવે ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠકમાં 40 વર્ષ જૂની આરક્ષણ સિસ્ટમમાં અપગ્રેડેડ સિસ્ટમ પર ટ્રેનોના શિફ્ટિંગ થતી વખતે યાત્રીઓને તકલીફ ન થાય એ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા. આ બેઠકમાં રેલવે રાજ્ય મંત્રી વી. સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટૂ પણ ઉપસ્થિત હતા, 1986 માં શરૂ થયેલ આ સિસ્ટમમાં પાછલા 40 [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/passenger-reservation-system-to-shift-trains-from-august/">પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં ઓગસ્ટથી રેલગાડીઓનું થશે શિફ્ટિંગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-</p>
<p style="text-align: justify;">રેલવે ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠકમાં 40 વર્ષ જૂની આરક્ષણ સિસ્ટમમાં અપગ્રેડેડ સિસ્ટમ પર ટ્રેનોના શિફ્ટિંગ થતી વખતે યાત્રીઓને તકલીફ ન થાય એ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા. આ બેઠકમાં રેલવે રાજ્ય મંત્રી વી. સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટૂ પણ ઉપસ્થિત હતા, 1986 માં શરૂ થયેલ આ સિસ્ટમમાં પાછલા 40 વર્ષોમાં કેટલાય નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા. પરંતુ હવે આમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને એની ક્ષમતાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.</p>
<p style="text-align: justify;">રેલવે આરક્ષણ સિસ્ટમે કેટલાય મહત્વપૂર્ણ તબક્કાઓ જોયા છે. વર્ષ 2002 માં ભારતીય રેલવે એ ticketing માં internet નો પ્રયોગ શરૂ કર્યો. આજે આ સિસ્ટમ એટલી લોકપ્રિય છે કે દેશની મોટાભાગની વસ્તી બારી તરફ જતી નથી. દેશમાં આજે જેટલી પણ ticketing ની માંગ છે તેનો મોટો ભાગ (~88%) online મારફતે થાય છે.ભારતીય રેલવેની મોબાઈલ એપ રેલવન યાત્રીઓ વચ્ચે ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. રેલવન એપની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી. એક વર્ષમાં ઓછા સમયમાં જ દેશભરમાં અત્યાર સુધી 3.5 કરોડ ડાઉનલોડ થઈ ગયા છે.આ એપના લોકપ્રિય થવાના કેટલાક કારણોમાં સૌથી મોટુ કારણ એ છે કે આ એપ દેશના સામાન્ય માણસને રેલવે સંબંધિત તમામ માહિતી તો આપે જ છે, ટિકિટીંગ તથા અન્ય સેવાઓથી જોડાયેલી ફરિયાદોનું પણ નિવારણ કરે છે.</p>

<p style="text-align: justify;">આજે જ્યારે આપ પોતાની ટિકિટ બનાવો છે, તે રેલવન એપ આપને જણાવે છે કે આપની વેઈટીંગમાં દેખાતી ટિકિટ કન્ફર્મ થશે કે નહી. ટિકિટના કન્ફર્મ થવાની સચોટ શક્યતા પણ હવે આપને એઆઈ મારફતે રેલવન એપ બતાવવા લાગી છે. આ નવી સુવિધા આ વર્ષની શરૂઆતથી લાગુ કરવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રેલવન એપ પર વેઈટીંગ ટિકિટના કન્ફર્મ થવાના અનુમાનની સચોટતા અગાઉ કરતાં 53 ટકા વધીને હવે 94 ટકા સુધી પહોંચી ગઈ છે.રેલવન એપમાં આ પ્રકારની કેટલીય એકિકૃત અને આધુનિક સુવિધાઓ છે, જે રેલવે સંબંધિત અન્ય તમામ સેવાઓને પણ પોતાનામાં સમાવે છે. જેમ કે – આરક્ષિત, અનારક્ષિત તથા પ્લેટફોર્મ વગેરે વિવિધ પ્રકારની ટિકિટોનું બુકિંગ, કેન્સલેશન તથા રિફન્ડ.</p>
<p style="text-align: justify;">આની સાથે સાથે આપના હાલના ટિકિટનાં વેઈટીંગના status ની નવી સ્થિતિ, ટ્રેનના આવવા જવાનો સમય, ટ્રેનની હાલની સ્થિતિ, ટ્રેનના આવવા-જવાના platform, આપના coach ની position, રેલવે મદદ જેવી મહત્વપૂર્ણ માહિતી રેલવન (RailOne) app પર છે. પોતાની યાત્રા દરમિયાન આપ પોતાનું food પણ રેલવન (RailOne) app પર order કરી શકો છો. App આપને એ વિકલ્પ આપે છે કે આપની seat સુધી આપનું મનપસંદ ભોજન પહોંચી શકે. આરામદાયક અને સેવાકારક સુવિધાઓથી સજ્જ આ રેલવન (RailOne) app ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.</p>
<p style="text-align: justify;">આપની હાલની ટિકિટની વેઈટીંગની સ્થિતિની નવીન માહિતી, ટ્રેનના આવવા-જવાનો સમય, ટ્રેનની હાલની સ્થિતિ, ટ્રેનના આવવા-જવાના પ્લેટફોર્મ, આપના કોચની સ્થિતિ જેવી મહત્વપૂર્ણ માહિતીઓ પણ રેલવન એપ પર ઉપલબ્ધ છે. આપની યાત્રા દરમિયાન આપ રેલવન એપ પર ભોજન પણ ઓર્ડર કરી શકો છે. આ એપ આપને એ સુવિધા આપે છે કે આપની સીટ સુધી આપનું મનપસંદ ભોજન પહોચી શકે. આરામદાયક અને સેવાકારક સુવિધાઓથી સજ્જ આ રેલવન ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.</p>

<p style="text-align: justify;">રોજેરોજ આ app મારફતે દેશભરમાં 9.29 લાખ ટિકિટો book થઈ રહી છે. આમાં 7.2 લાખ ટિકિટો અનારક્ષિત તથા અન્ય 2.09 લાખ આરક્ષિત ટિકિટો છે. અનારક્ષિત ટિકિટોમાં platform ટિકિટ પણ સામેલ છે. Android તથા IOS પર રેલવન (RailOne) app નો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યાં 3 કરોડ 16 લાખ લોકોએ આને ગૂગલ પ્લેસ્ટોરથી અત્યાર સુધી ડાઉનલોડ કરી છે. ત્યાં 33.17 લાખ લોકોએ આને એપલ phones માં ડાઉનલોડ કરી છે.</p>
<p style="text-align: justify;">દેશમાં યાત્રીઓ માટે ભારતીય રેલવે એક જીવન રેખા છે  &#8211;  ભારતીય રેલવે એ 2024-25માં યાત્રીઓની ટિકિટો પર 60,239 કરોડ રૂપિયાની સબસિડી આપી. આ રેલવે પર યાત્રા કરનારા દરેક વ્યકિતની સરેરાશ 43% ની મુક્તિની બરાબર છે. બીજા શબ્દોમાં, જો સેવા આપવાનો ખર્ચ 100 રૂપિયા છે, તો ટિકિટનું મૂલ્ય ફક્ત 57 રૂપિયા છે.</p>
<p>The post <a href="https://mysamachar.in/passenger-reservation-system-to-shift-trains-from-august/">પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં ઓગસ્ટથી રેલગાડીઓનું થશે શિફ્ટિંગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/passenger-reservation-system-to-shift-trains-from-august/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60832</post-id>	</item>
		<item>
		<title>કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</title>
		<link>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/</link>
					<comments>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 07 May 2026 04:36:21 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60827</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપડ્યો  હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/">કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપડ્યો  હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી છે.</p>
<p style="text-align: justify;">આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે રાત્રિના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ફુટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બે પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાને કરવામાં આવતા આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને વધુ તપાસ આરંભી હતી. જેમાં આગળ જતા આ પ્રકારના વધુ બે પેકેટ મળી આવ્યા હતા.</p>

<p style="text-align: justify;">આ સમગ્ર પ્રકરણમાં પોલીસને હાથ લાગેલા આ ચાર પેકેટમાં ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલું લખાણ લખેલું હતું. આ પેકેટને ખોલીને જોતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું જાહેર થયું હતું. જેથી પોલીસે આગળની પ્રક્રિયા કરતા આશરે 4.548 કિલોગ્રામ જેટલા આ ચરસની બજાર કિંમત રૂ. 2,27,40,000 હોવાનું જાહેર થયું છે.</p>
<p style="text-align: justify;">આમ, બિનવારસુ હાલતમાં મળી આવેલા રૂપિયા 2.27 કરોડથી વધુની કિંમતના સાડા ચાર કિલોગ્રામથી વધુના ચરસના આ જથ્થાને પોલીસે કબજે લઈ, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી, પકડાઈ જવાના ડરથી કે કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દીધા હોવાનું સ્થાનિક એ.એસ.આઈ. વજશીભાઈ કારૂભાઈ પોસ્તરીયાની ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. એન.એન. વાળા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.(symbolic image)</p>

<p>The post <a href="https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/">કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60827</post-id>	</item>
		<item>
		<title>જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</title>
		<link>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/</link>
					<comments>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 07 May 2026 04:30:51 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60825</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં જમીન વહીવટમાં AI અને બ્લોકચેનનો ઉપયોગ વિષય પર અત્યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/">જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં જમીન વહીવટમાં AI અને બ્લોકચેનનો ઉપયોગ વિષય પર અત્યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.</p>
<p style="text-align: justify;">પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બ્લોકચેન ટેકનોલોજી જમીનના રેકોર્ડ્સને &#8216;ટેમ્પર-પ્રૂફ&#8217; (છેડછાડ અશક્ય) બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. બ્લોકચેન આધારિત સિસ્ટમમાં એકવાર ડેટા એન્ટર થયા બાદ તેમાં અનધિકૃત ફેરફાર કરવો અશક્ય છે, જેનાથી જમીનના રેકોર્ડમાં થતી છેતરપિંડી અટકશે. માલિકી હક્કની વિગતો વધુ સ્પષ્ટ અને સુરક્ષિત બનશે. મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટશે અને ડેટાની વિશ્વસનીયતા વધશે.</p>
<p style="text-align: justify;">આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે બ્લોકચેઈન ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને સરળ અને વ્યવહારુ ભાષામાં સમજાવ્યા. તેમણે ભૂમિ રેકોર્ડ, વારસાઈ, મ્યુટેશન, જમીનના ટાઇટલ અને વેચાણ-ખરીદી જેવા મહેસૂલ વહીવટના મુખ્ય ક્ષેત્રોમાં આ ટેક્નોલોજી કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેની વિગતવાર સમજ આપી. આ સત્રમાં ભૂમિ રેકોર્ડ્સને સંપૂર્ણપણે અનબદલ (tamper-proof) બનાવવા, વેચાણ-ખરીદી અને મ્યુટેશન પ્રક્રિયાને ઝડપી તેમજ પારદર્શક બનાવવા, જમીની છેતરપિંડીને નાબૂદ કરવા, વારસાઈ કેસોના નિકાલને સરળ બનાવવા અને લોકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે AI અને બ્લોકચેઈનના સંયુક્ત ઉપયોગની વ્યવહારિક શક્યતાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.</p>

<p style="text-align: justify;">મહેસૂલ વિભાગમાં AIની જરૂરિયાત આજે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશાળ જમીન રેકોર્ડ્સ, વારસાઈ કેસો, મ્યુટેશન અરજીઓ અને વિવિધ પોર્ટલ પરના કરોડો ડેટાને મેન્યુઅલી હેન્ડલ કરવામાં વિલંબ, માનવીય ભૂલ અને અપારદર્શિતાની સમસ્યા વારંવાર જોવા મળે છે. AI દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઓટોમેટિક સર્વે નંબર મેચિંગ, વિવાદિત કેસોમાં પેટર્ન ઓળખ, જમીન છેતરપિંડીની આગાહી અને લાભાર્થીઓને ઝડપી સેવા આપવી શક્ય બને છે. તેમજ રેવેન્યુ વસૂલાત, ગૌચર જમીન વ્યવસ્થાપન અને અન્ય સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં પણ AI મદદરૂપ થઈ શકે છે.પરંતુ AI અમલમાં લાવતી વખતે ડેટા સુરક્ષા, પ્રાઈવસી, પક્ષપાત વિનાનું મોડલ, માનવ અધિકારીનું અંતિમ વિવેકાધીન અધિકાર, સિસ્ટમની ઓડિટેબિલિટી, કાનૂની અને નૈતિક માપદંડોનું પાલન તેમજ સ્ટાફને તાલીમ આપવા જેવી અનેક કાળજી રાખવી જરૂરી છે. આ ચિંતન શિબિર ગુજરાતના ભૂમિ વહીવટને ડિજિટલ યુગની આધુનિક અને સુરક્ષિત વ્યવસ્થા તરફ લઈ જવામાં મહત્ત્વનું પગથિયું સાબિત થશે.</p>
<p style="text-align: justify;">AI ના ફાયદાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હજારો વર્ષ જૂના અને જટિલ લેન્ડ રેકોર્ડ્સનું ઝડપી વિશ્લેષણ શક્ય છે. AI ના ઉપયોગથી સેટેલાઇટ ઇમેજરી દ્વારા જમીન સંપાદન અને દબાણોની ત્વરિત ઓળખ થઈ શકશે. મહેસૂલી કેસોના નિકાલમાં પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે.</p>

<p style="text-align: justify;">ખાસ કરીને OCR (Optical Character Recognition) ટેકનોલોજી દ્વારા હસ્તલિખિત કે જૂના જમીનના દસ્તાવેજોને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે NLP (Natural Language Processing) દ્વારા સિસ્ટમ દસ્તાવેજમાં લખાયેલી કાનૂની ભાષાનું વિશ્લેષણ કરશે. AI સિસ્ટમ શંકાસ્પદ વિગતોને ત્વરિત પકડી પાડી વહીવટી અધિકારીઓને સાવધ કરશે. ટેકનોલોજીના આ પ્રભાવશાળી ઉપયોગથી જમીન સંબંધિત દસ્તાવેજોમાં થતી છેડછાડ અટકશે અને સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ થવાની સાથે મહેસૂલી પ્રક્રિયામાં અભૂતપૂર્વ પારદર્શિતા આવશે.</p>
<p>The post <a href="https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/">જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60825</post-id>	</item>
		<item>
		<title>મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</title>
		<link>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/</link>
					<comments>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:54:16 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60823</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: ગાંધીનગર અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. આ શિબિરમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને કેટલીક આકરી ટકોર પણ કરી છે, મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તમારી પાસે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/">મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">ગાંધીનગર અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે.</p>
<p style="text-align: justify;">આ શિબિરમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને કેટલીક આકરી ટકોર પણ કરી છે, મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તમારી પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. &#8216;દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય&#8217; એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી. તેમણે જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં નાગરિકોના પ્રશ્નો સીધા તેમની પાસે પહોંચે છે, તેથી અધિકારીઓએ અગાઉથી જ સમસ્યાઓનું નિવારણ કરી દેવું જોઈએ જેથી લોકો સંતોષ અનુભવે.</p>

<p style="text-align: justify;"><strong> </strong>મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, “ઓફિસમાં આવનાર કોઈપણ વ્યક્તિને ખચકાટ ન થાય, હસતા મોઢે કામ કરશો તો અરજદાર ખુશ થશે.” સાથે જ તેમણે “હું ચલાવું છું” એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની સલાહ આપી અને ઉમેર્યું કે સિસ્ટમ સૌના સહકારથી ચાલે છે. IAS અધિકારીઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોટી મહેનત બાદ આ પદ પ્રાપ્ત થાય છે, તેથી જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. તેવી ટકોર પણ મુખ્યમંત્રીએ કરી પણ શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ મુખ્યમંત્રીની ટકોરની અસર હવે કેવી થાય છે તે જોવાનું છે.(file image)</p>

<p>The post <a href="https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/">મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60823</post-id>	</item>
		<item>
		<title>શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</title>
		<link>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/</link>
					<comments>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:31:19 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60821</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે. ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે.</p>
<p style="text-align: justify;">ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે તો તપાસ કરતા ખબર પડી કે કેમ સહીઓ થાય છે બધી એ ન પુછશો&#8230;..!!! ગ્રાહક સુરક્ષા એટલેકે પુરવઠા અધીકારી દરેક મામલતદારો ગેસ સીલીન્ડરની ગુણવતા અને ઓપરેટીંગ નિયમો શીખવાડવા કે ચેક કરવા ગયા છે કે નહી તે સવાલ છે તો ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રીક સાધનો અંગે પણ તોલમાપ,બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડે કે ગ્રાહક સુરક્ષા વિભાગ આ સાધનોની ક્ષમતા અને ગુણવતા ચેક કરતા હશે કે નહી તે નાગરીકોને ખ્યાલ નથી અને કાયદા મુજબ ગ્રાહક રાજા છે તેમ કહેવાય છે,રેસ્ટોરન્ટ કે ધાબા કે નાસ્તાની દુકાન કેબીન વગેરેમા કેટલી સાંકડી જગ્યાઓમાં લાઇટના ઝાકઝમાળ સાથે ગેસના બાટલાના તાપ આગ ન લગાડે તો જ નવાઇ કહેવાય તેવુ જ ગોડાઉનોમાં છે બાંધકામ થતુ હોય ત્યારે જ હવા ની હેરફેર ચકાસવામાં ન આવે પગલા લેવામાં ન આવે તો ગમે તેટલા ફાયર સેફટી સાધનોનો કોઇ મતલબ નથી.</p>

<p style="text-align: justify;">અમુક બહુ માળીમાં એનઓસી લેવા માટે રબ્બર પાઇપના ફોલ્ડ દેખાય છે પરંતુ તે પાણીના ટાંકા સાથે જોડાયેલા છે કે નહી તે નક્કી નથી હોતુ  અથવા પાણીનો ટાંકો ચોવીસ કલાક ભરેલો જ રહે છે કે નહી તે ચેક કરવાની ફરજ કોની તે બાબતની અગણીત લોકોને ખબર જ નથી આ બધા વચ્ચે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સીસ્ટમ  કે કોડ ઓફ પ્રેક્ટીસ કોને કહેવાય,આ જાણકારી આપવી અને કડક અમલવારી કરાવવાની જવાબદારી ફાયર સાથે લગત ઘણા વિભાગની છે કેમકે આગ લાગે ત્યારે જો જાડુ કરવાનુ હોય તો બધા વિભાગો દોડી આવે છે નહીતર માત્ર ફાયર વિભાગ દોડધામ કરે આગ બુજાવે કારણ શોધે નુકસાની નુ સર્ટીફીકેટ આપે છે</p>
<p style="text-align: justify;">માર્ચ મહીનામાં ચોક્કસ સ્થળોએ આ પ્રેક્ટીસની મોસમ ખીલે છે તો બીજી તરફ જામનગર જલ્લા અને દરેક તાલુકાઓમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાળા કોલેજો જાહેર સ્થળોએ આગ સહિતની આપતીઓની મોકડ્રીલ કરવા કે નોટીસ આપવાનું ડીઝાસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાવ બંધ કરી દીધુ હોય એવુ લાગે છે.કેમકે જુદા જુદા બે ડઝનથી વધુ કેટેગરીના સ્થળે ડીઝાસ્ટર મેનેજમેન્ટ નોટીસ આપતુ શું કરવુ શું ન કરવુ ની સુચના અને સમજણ આપતુ તે આઠેક વરસથી સદંતર બંધ હોવાનુ જાણકારો કહે છે.</p>

<p style="text-align: justify;"><em><strong>-કેટલીય શાળા, કોલેજો, રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ,હોસ્પીટલ્સ, દવાખાનાઓ,શોપીંગ સેન્ટર,શોરૂમમાં ઇમરજન્સી એક્ઝીટ નથી તે વચ્ચે વધુ એક તાકીદ </strong></em></p>
<p style="text-align: justify;">જામનગર મહાનગરપાલિકા તેમજ જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના હદ વિસ્તારમાં આવેલ તમામ મોલ, મલ્ટિપ્લેક્ષ, હોસ્પીટલ, શાળા-કોલેજો, હોટલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્ષ પેટ્રોલપંપ, ગેસ ગોડાઉન તેમજ પેટ્રોલીયમ સ્ટેશન, અનાજ દળવાની ઘંટી કે  સંગ્રહની જગ્યાઓ જેવા એવા તમામ બિલ્ડીંગો તથા અન્ય જગ્યાએ જેમાં સામાન્ય લોકોની ૫૦ થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બિલ્ડીંગોના માલિકો/ઓક્યુપાયરે,ગુજરાત ફાયર સેફ્ટી કાયદા  તથા તેની હેઠળના નિયમો મુજબ તમામ  માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) મેળવવું તથા સમયાંતરે તેનો રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે.</p>
<p style="text-align: justify;">રિન્યુઅલ પ્રક્રિયા Gujarat Fire Safety COP પર ઓનલાઇન કરવાની આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બિલ્ડીંગના માલિક/ઓક્યુપાયર પર રહેશે.જે એકમોએ હજી સુધી સર્ટિફિકેટ મેળવેલ નથી અથવા રિન્યુઅલ બાકી છે, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી લેવી અન્યથા ચાલુ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</p>
<p style="text-align: justify;">વધુમાં ધી જી.પી.એમ.સી. એકટ-1949 ની કલમ-263 તથા 264 મુજબ તમામ બાંધકામ કરનાર આસામીઓએ બાંધકામ અંગેનાં વિકાસ પરવાનગી અને વપરાશ પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે.  તમામ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સાધનો કાર્યરત છે તેની નિયમિત ચકાસણી કરવી તથા સમયાંતરે મેઇન્ટેનન્સ કરાવવું.ઉનાળાની સીઝનમાં આગના મોટા ભાગના બનાવ ઇલેક્ટ્રિકલ કારણોસર થતા હોય, બિલ્ડીંગની ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોનું સરકાર માન્ય કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિટ કરાવવું.</p>

<p style="text-align: justify;">એસી યુનિટ્સ સતત વધુ ક્ષમતા પર ચલાવવાના બદલે યોગ્ય ગેપ સાથે ચલાવાવા તથા સમયસર સર્વિસિંગ કરાવવું.ઇમરજન્સી દરમિયાન સલામત બહાર નીકળવા માટે સ્ટેરકેસ તથા ઇવેક્યુએશન રૂટ હંમેશા ખુલ્લા અને અવરોધમુક્ત રાખવા. આ રૂટમાં કોઈપણ પ્રકારનો સામાન, ગોડાઉન, ઇલેક્ટ્રિકલ બોર્ડ કે એવી આડકતરી યુનિટ સ્થાપિત ન કરવી.બિલ્ડીંગના બેઝમેન્ટ, પાર્કિંગ અથવા અન્ય જગ્યાએ બિનઅધિકૃત ઉપયોગ, વર્કશોપ, કૅફેટેરિયા કે સ્ટોરેજ સંગ્રહ ન કરવો. નકામા (Scrap) સામાન જેવી જગ્યાઓએ ખાસ આગ સુરક્ષા પગલાં લેવા અને અગમ્યકારક સંગ્રહ ટાળવો.લેબ, કિચન અથવા અન્ય સ્થળો માટે ઊંચા કક્ષાના સલામતી સાધનો રખાવા.</p>
<p style="text-align: justify;">રેસ્ટોરન્ટ/કૅન્ટીન/તમામ બાંધકામોમાં પુરતા ઇમરજન્સી એક્ઝિટ રાખવા તથા જરૂરી ફાયર સેફ્ટી સાધનો (ફાયર એક્સ્ટિંગ્યુશર વગેરે) કાર્યરત સ્થિતિમાં રાખવા અનિવાર્ય રહેશે જેથી આગ લાગવાના બનાવોને ટાળી તાત્કાલિક બચાવ થઈ શકે.આ તમામ સૂચનાઓનો કડકપણે અમલ કરવો. કોઈપણ પ્રકારની બેદરકારી જણાય તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેર નોટિસની સુચનાઓનું અવગણન જો કોઈ કારણના સાધનો અને NOC ની કામગીરી બાકી હોય અને જોડાણ અનધિકૃત અથવા બળજોરથી તેની બધી જ જવાબદારી જે-તે જગ્યાના ઉપયોગકર્તા તેમજ માલિકની રહેશે જેની મ્યુ.કમીશનર અને જાડા ચેરમેન દિનેશ મોદી દ્વારા  સખત તાકીદ કરવામાં આવી છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60821</post-id>	</item>
		<item>
		<title>ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</title>
		<link>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/</link>
					<comments>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:20:04 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60818</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યુ હતું. દ્વારકા શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉત્ખનનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામો સહિત ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રના સાંસ્કૃતિક મ,વસાહતની પદ્ધતિ અને દરિયાઈ વેપાર સહિતની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબધ્ધ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>રોમન સામ્રાજ્ય સહિત વિદેશી દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર &#8211;</u></p>
<p style="text-align: justify;">બેટ દ્વારકા પ્રાચીન સમયથી દરિયાકાંઠાની વસાહતો અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે જાણીતું છે. સાહિત્યિક પરંપરાઓમાં આ ટાપુનો &#8216;અંતરદ્વીપ&#8217; તરીકે ઉલ્લેખ છે જયારે વિદ્વાનો તેને પ્રાચીન ગ્રીક ગ્રંથ &#8216;પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’માં વર્ણવેલ ‘બારાકા’ સાથે જોડે છે. આ વિસ્તાર ભૌગોલિક સ્થિતિા કારણે પ્રાચીન સમયમાં રોમન સામ્રાજ્ય સહિતના દેશો સાથેના વિદેશી દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર રહયુ હોય તેવા પૂરાવા પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>ઉત્ખનનમાં મળ્યા મહત્વના પુરાવાઓ &#8211;</u></p>
<p style="text-align: justify;">વર્તમાન ઉત્ખનન કામગીરી બેટ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કીકરના વૃક્ષો, થોરની ગીચ વનસ્પતિ અને વન્યજીવોની હાજરીને કારણે અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારકા અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં થયેલ ઉત્ખનન કામગીરીમાં મહત્ત્વપૂર્ણ પૂરાવાઓ તથા અવશેષો પ્રાપ્ત થયા છે. ઉત્ખનન દરમ્યાન જમીનની અંદર પથ્થરની બનેલ માળખાકીય બાંધકામના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, સિકકા અને લોખંડની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. જે-તે સમયના સાંસ્કૃતિક અને વેપારી સબંધો પર પ્રકાશ પાડે છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>દ્વારકાના અરબી સમુદ્રમાં પણ સંશોધન કાર્ય &#8211;</u></p>
<p style="text-align: justify;">ગત ડિસેમ્બર માસથી શરૂ કરાયેલ અન્ડરવોટર સર્વેક્ષણની કામગીરી યાત્રાધામ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પણ કરવામાં આવેલ. જેમાં પણ પુરાતત્ત્વ વિભાગને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પૂરાવાઓ પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>પ્રાચીન વસાહતનું સાતત્ય&#8230; &#8211;</u></p>
<p style="text-align: justify;">પુરાતત્ત્વ વિભાગ દ્વારા અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ પૂર્વ કિનારે BSD-1 થી BSD-4 તરીકે ઓળખાતા ચાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પત્થરના સ્થાપત્યો મળી આવ્યા હોય જે આ ટાપુ પર ‘પ્રોટોહિસ્ટોરિક’ (આદ્ય &#8211; ઐતિહાસિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસાહત રહી હોવાનું સાબિત કરે છે. આ ઉત્ખનન દ્વારા ભારતની સમૃદ્ધ સમુદ્રી વિરાસત અને પ્રાચીન વિશ્વ સાથેના તેના ગાઢ સબંધો વિશે વધુ ઊંડી માહિતી મળવાની અપેક્ષા છે.<strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>
<p style="text-align: justify;">
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60818</post-id>	</item>
		<item>
		<title>જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</title>
		<link>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/</link>
					<comments>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 05 May 2026 06:50:12 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60815</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો કે જામનગર મનપાને હવે યાદ આવ્યું કે આવા તો કેટલાય રેસ્ટોરન્ટ અને ધાબાઓ ગામની ફરતે છે&#8230;.!!! જેમાં નિયમોનો ઉલાળિયો થાય છે.</p>
<p style="text-align: justify;">આગ લાગે ત્યારે કુવો ખોદવાની મનપાની પ્રણાલી અગાઉથી જ છે તેવી જ રીતે આ કિસ્સામાં પણ હવે જામનગર આસપાસની પેરીફરીમાં આવા રેસ્ટોરન્ટ અને ધાબાઓ જેમની પાસે મનપાની બી.યુ પરમીશન નથી કે ફાયર એનઓસી નથી તેને સીલીંગ કરવા કાફલો આજે નીકળી પડ્યો જેમાં ઠેબા ચોકડી નજીક જામનગરી રેસ્ટોરન્ટ અને શિવ રેસ્ટોરન્ટને સીલીંગ કરી દેવામાં આવ્યા છે અને આસપાસમાં આવેલ અન્ય ધાબાઓ અને રેસ્ટોરન્ટમાં આજના દિવસે આવી કાર્યવાહી સતત આગળ ધપવાની હોવાનું જાણવા મળે છે.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60815</post-id>	</item>
		<item>
		<title>24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</title>
		<link>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/</link>
					<comments>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 05 May 2026 04:12:20 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60813</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ:બનાસકાંઠા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે લગભગ એકપણ દિવસ એવો નથી જતો જેમાં રાજ્યના કોઈ ને કોઈ વિભાગનો અધિકારી કર્મચારી લાંચ લેતા ના ઝડપાયો હોય લાન્ચિયાઓને કોઈનો ડર નથી તે બિન્દાસ્ત લાંચ લે છે અને બાદમાં એસીબી આવી ચઢે ત્યારે પગ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/">24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ:બનાસકાંઠા:</p>
<p style="text-align: justify;">રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે લગભગ એકપણ દિવસ એવો નથી જતો જેમાં રાજ્યના કોઈ ને કોઈ વિભાગનો અધિકારી કર્મચારી લાંચ લેતા ના ઝડપાયો હોય લાન્ચિયાઓને કોઈનો ડર નથી તે બિન્દાસ્ત લાંચ લે છે અને બાદમાં એસીબી આવી ચઢે ત્યારે પગ નીચે રેલો આવી જાય છે. જો છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો રાજ્યના બે જુદા જુદા જિલ્લાઓમાં એસીબીને સફળતા મળી છે અને લાન્ચિયાઓ સકંજામાં આવી ગયા છે.</p>
<p style="text-align: justify;">પહેલા કેસની વાત કરીએ તો અમદાવાદની નરોડા-6 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજના કામ અર્થે લાંચની માંગણી કરનાર સબ રજિસ્ટ્રાર સહિત ચાર શખ્સોને ACB એ રૂ. 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દસ્તાવેજ સંબંધિત કામકાજ માટે આરોપીઓએ કુલ રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. આ સોદો નક્કી કરવા માટે આરોપીઓએ વોટ્સએપ કોલનો ઉપયોગ કર્યો હતો, જેથી પકડાઈ ન જવાય.ACB ના છટકામાં આકાશ અમૃતભાઇ દેસાઇ – સબ રજીસ્ટ્રાર, નરોડા-6 (વર્ગ-2 અધિકારી), જય બળદેવભાઇ આદિવાસી – સિક્કા ઓપરેટર, રહીલ શૈખ – સર્ચ ઓપરેટર અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા – ખાનગી વ્યક્તિ (વચેટિયો) સકંજામાં આવ્યા છે.</p>

<p style="text-align: justify;">જ્યારે બીજા કેસની વિગતો એવી છે કે બનાસકાંઠાના ડીસા તાલુકાની રામપુરા (દામા) ગ્રામ પંચાયતમાં એ.સી.બી.એ લાંચની ટ્રેપ ગોઠવી એક તલાટી-કમ-મંત્રીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. 15 મા નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલો મંજૂર કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રી કીર્તિકુમાર રામાભાઇ પ્રજાપતિએ 15 મા નાણા પંચના વિકાસના કામોના બિલો મંજૂર કરવા માટે ટકાવારી પેટે ₹15000 ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે બનાસકાંઠા એ.સી.બી. દ્વારા રામપુરા (દામા) ગ્રામ પંચાયત ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન તલાટી કીર્તિકુમાર પ્રજાપતિ ₹૧૫,૦૦૦ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/">24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60813</post-id>	</item>
	</channel>
</rss>
