<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>My Samachar</title>
	<atom:link href="https://mysamachar.in/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://mysamachar.in/</link>
	<description>Online News Portal for Gujarat</description>
	<lastBuildDate>Thu, 07 May 2026 04:42:47 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://mysamachar.in/wp-content/uploads/2023/11/cropped-mysamachar-sample-logo-03-round-32x32.png</url>
	<title>My Samachar</title>
	<link>https://mysamachar.in/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
<site xmlns="com-wordpress:feed-additions:1">231578003</site>	<item>
		<title>કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</title>
		<link>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/</link>
					<comments>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 07 May 2026 04:36:21 +0000</pubDate>
				<category><![CDATA[ક્રાઈમ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60827</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપડ્યો  હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/">કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપડ્યો  હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ, આગળની તપાસ હાથ ધરી છે.</p>
<p style="text-align: justify;">આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે રાત્રિના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ફુટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બે પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાને કરવામાં આવતા આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને વધુ તપાસ આરંભી હતી. જેમાં આગળ જતા આ પ્રકારના વધુ બે પેકેટ મળી આવ્યા હતા.</p>

<p style="text-align: justify;">આ સમગ્ર પ્રકરણમાં પોલીસને હાથ લાગેલા આ ચાર પેકેટમાં ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલું લખાણ લખેલું હતું. આ પેકેટને ખોલીને જોતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું જાહેર થયું હતું. જેથી પોલીસે આગળની પ્રક્રિયા કરતા આશરે 4.548 કિલોગ્રામ જેટલા આ ચરસની બજાર કિંમત રૂ. 2,27,40,000 હોવાનું જાહેર થયું છે.</p>
<p style="text-align: justify;">આમ, બિનવારસુ હાલતમાં મળી આવેલા રૂપિયા 2.27 કરોડથી વધુની કિંમતના સાડા ચાર કિલોગ્રામથી વધુના ચરસના આ જથ્થાને પોલીસે કબજે લઈ, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી, પકડાઈ જવાના ડરથી કે કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દીધા હોવાનું સ્થાનિક એ.એસ.આઈ. વજશીભાઈ કારૂભાઈ પોસ્તરીયાની ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. એન.એન. વાળા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.(symbolic image)</p>

<p>The post <a href="https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/">કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/unclaimed-hashish-worth-rs-2-crore-found-in-kalyanpur-coastal-area/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60827</post-id>	</item>
		<item>
		<title>જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</title>
		<link>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/</link>
					<comments>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 07 May 2026 04:30:51 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60825</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં જમીન વહીવટમાં AI અને બ્લોકચેનનો ઉપયોગ વિષય પર અત્યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/">જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં જમીન વહીવટમાં AI અને બ્લોકચેનનો ઉપયોગ વિષય પર અત્યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.</p>
<p style="text-align: justify;">પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બ્લોકચેન ટેકનોલોજી જમીનના રેકોર્ડ્સને &#8216;ટેમ્પર-પ્રૂફ&#8217; (છેડછાડ અશક્ય) બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. બ્લોકચેન આધારિત સિસ્ટમમાં એકવાર ડેટા એન્ટર થયા બાદ તેમાં અનધિકૃત ફેરફાર કરવો અશક્ય છે, જેનાથી જમીનના રેકોર્ડમાં થતી છેતરપિંડી અટકશે. માલિકી હક્કની વિગતો વધુ સ્પષ્ટ અને સુરક્ષિત બનશે. મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટશે અને ડેટાની વિશ્વસનીયતા વધશે.</p>
<p style="text-align: justify;">આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે બ્લોકચેઈન ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને સરળ અને વ્યવહારુ ભાષામાં સમજાવ્યા. તેમણે ભૂમિ રેકોર્ડ, વારસાઈ, મ્યુટેશન, જમીનના ટાઇટલ અને વેચાણ-ખરીદી જેવા મહેસૂલ વહીવટના મુખ્ય ક્ષેત્રોમાં આ ટેક્નોલોજી કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેની વિગતવાર સમજ આપી. આ સત્રમાં ભૂમિ રેકોર્ડ્સને સંપૂર્ણપણે અનબદલ (tamper-proof) બનાવવા, વેચાણ-ખરીદી અને મ્યુટેશન પ્રક્રિયાને ઝડપી તેમજ પારદર્શક બનાવવા, જમીની છેતરપિંડીને નાબૂદ કરવા, વારસાઈ કેસોના નિકાલને સરળ બનાવવા અને લોકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે AI અને બ્લોકચેઈનના સંયુક્ત ઉપયોગની વ્યવહારિક શક્યતાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.</p>

<p style="text-align: justify;">મહેસૂલ વિભાગમાં AIની જરૂરિયાત આજે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશાળ જમીન રેકોર્ડ્સ, વારસાઈ કેસો, મ્યુટેશન અરજીઓ અને વિવિધ પોર્ટલ પરના કરોડો ડેટાને મેન્યુઅલી હેન્ડલ કરવામાં વિલંબ, માનવીય ભૂલ અને અપારદર્શિતાની સમસ્યા વારંવાર જોવા મળે છે. AI દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઓટોમેટિક સર્વે નંબર મેચિંગ, વિવાદિત કેસોમાં પેટર્ન ઓળખ, જમીન છેતરપિંડીની આગાહી અને લાભાર્થીઓને ઝડપી સેવા આપવી શક્ય બને છે. તેમજ રેવેન્યુ વસૂલાત, ગૌચર જમીન વ્યવસ્થાપન અને અન્ય સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં પણ AI મદદરૂપ થઈ શકે છે.પરંતુ AI અમલમાં લાવતી વખતે ડેટા સુરક્ષા, પ્રાઈવસી, પક્ષપાત વિનાનું મોડલ, માનવ અધિકારીનું અંતિમ વિવેકાધીન અધિકાર, સિસ્ટમની ઓડિટેબિલિટી, કાનૂની અને નૈતિક માપદંડોનું પાલન તેમજ સ્ટાફને તાલીમ આપવા જેવી અનેક કાળજી રાખવી જરૂરી છે. આ ચિંતન શિબિર ગુજરાતના ભૂમિ વહીવટને ડિજિટલ યુગની આધુનિક અને સુરક્ષિત વ્યવસ્થા તરફ લઈ જવામાં મહત્ત્વનું પગથિયું સાબિત થશે.</p>
<p style="text-align: justify;">AI ના ફાયદાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હજારો વર્ષ જૂના અને જટિલ લેન્ડ રેકોર્ડ્સનું ઝડપી વિશ્લેષણ શક્ય છે. AI ના ઉપયોગથી સેટેલાઇટ ઇમેજરી દ્વારા જમીન સંપાદન અને દબાણોની ત્વરિત ઓળખ થઈ શકશે. મહેસૂલી કેસોના નિકાલમાં પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે.</p>

<p style="text-align: justify;">ખાસ કરીને OCR (Optical Character Recognition) ટેકનોલોજી દ્વારા હસ્તલિખિત કે જૂના જમીનના દસ્તાવેજોને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે NLP (Natural Language Processing) દ્વારા સિસ્ટમ દસ્તાવેજમાં લખાયેલી કાનૂની ભાષાનું વિશ્લેષણ કરશે. AI સિસ્ટમ શંકાસ્પદ વિગતોને ત્વરિત પકડી પાડી વહીવટી અધિકારીઓને સાવધ કરશે. ટેકનોલોજીના આ પ્રભાવશાળી ઉપયોગથી જમીન સંબંધિત દસ્તાવેજોમાં થતી છેડછાડ અટકશે અને સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ થવાની સાથે મહેસૂલી પ્રક્રિયામાં અભૂતપૂર્વ પારદર્શિતા આવશે.</p>
<p>The post <a href="https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/">જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/this-is-how-ai-and-blockchain-technology-will-be-used-to-bring-transparency-in-land-administration/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60825</post-id>	</item>
		<item>
		<title>મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</title>
		<link>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/</link>
					<comments>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:54:16 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60823</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: ગાંધીનગર અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. આ શિબિરમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને કેટલીક આકરી ટકોર પણ કરી છે, મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તમારી પાસે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/">મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">ગાંધીનગર અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે.</p>
<p style="text-align: justify;">આ શિબિરમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને કેટલીક આકરી ટકોર પણ કરી છે, મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તમારી પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. &#8216;દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય&#8217; એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી. તેમણે જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં નાગરિકોના પ્રશ્નો સીધા તેમની પાસે પહોંચે છે, તેથી અધિકારીઓએ અગાઉથી જ સમસ્યાઓનું નિવારણ કરી દેવું જોઈએ જેથી લોકો સંતોષ અનુભવે.</p>

<p style="text-align: justify;"><strong> </strong>મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, “ઓફિસમાં આવનાર કોઈપણ વ્યક્તિને ખચકાટ ન થાય, હસતા મોઢે કામ કરશો તો અરજદાર ખુશ થશે.” સાથે જ તેમણે “હું ચલાવું છું” એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની સલાહ આપી અને ઉમેર્યું કે સિસ્ટમ સૌના સહકારથી ચાલે છે. IAS અધિકારીઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોટી મહેનત બાદ આ પદ પ્રાપ્ત થાય છે, તેથી જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. તેવી ટકોર પણ મુખ્યમંત્રીએ કરી પણ શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ મુખ્યમંત્રીની ટકોરની અસર હવે કેવી થાય છે તે જોવાનું છે.(file image)</p>

<p>The post <a href="https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/">મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/revenue-departments-chintan-shibir-cm-made-this-remark-to-ias-officers/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60823</post-id>	</item>
		<item>
		<title>શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</title>
		<link>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/</link>
					<comments>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:31:19 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60821</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે. ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગરમાં તાજેતરમાં એપ્રીલ માસમાં  અને મે માસની શરૂઆતમાં  ઉપરાઉપર આગના બનાવ  બન્યા માટે ફરીથી જામનગર શહેર અને પેરીફેરીમા એટલે કે કોર્પોરેશન એરીયા અને જાડાના વિસ્તાર માટે કોડ ઓફ પ્રેક્ટીસ અંતર્ગત મ્યુનીસીપલ કમીશનર અને  ચેરમેન-જાડાએ નોટીસ જાહેર કરીને સંતોષ માન્યો છે.</p>
<p style="text-align: justify;">ઇલેક્ટ્રીક ફીટીંગ્સ ચેક કરવા જતા ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરોની આ પ્રથમ જવાબદારી છે તો તપાસ કરતા ખબર પડી કે કેમ સહીઓ થાય છે બધી એ ન પુછશો&#8230;..!!! ગ્રાહક સુરક્ષા એટલેકે પુરવઠા અધીકારી દરેક મામલતદારો ગેસ સીલીન્ડરની ગુણવતા અને ઓપરેટીંગ નિયમો શીખવાડવા કે ચેક કરવા ગયા છે કે નહી તે સવાલ છે તો ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રીક સાધનો અંગે પણ તોલમાપ,બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડે કે ગ્રાહક સુરક્ષા વિભાગ આ સાધનોની ક્ષમતા અને ગુણવતા ચેક કરતા હશે કે નહી તે નાગરીકોને ખ્યાલ નથી અને કાયદા મુજબ ગ્રાહક રાજા છે તેમ કહેવાય છે,રેસ્ટોરન્ટ કે ધાબા કે નાસ્તાની દુકાન કેબીન વગેરેમા કેટલી સાંકડી જગ્યાઓમાં લાઇટના ઝાકઝમાળ સાથે ગેસના બાટલાના તાપ આગ ન લગાડે તો જ નવાઇ કહેવાય તેવુ જ ગોડાઉનોમાં છે બાંધકામ થતુ હોય ત્યારે જ હવા ની હેરફેર ચકાસવામાં ન આવે પગલા લેવામાં ન આવે તો ગમે તેટલા ફાયર સેફટી સાધનોનો કોઇ મતલબ નથી.</p>

<p style="text-align: justify;">અમુક બહુ માળીમાં એનઓસી લેવા માટે રબ્બર પાઇપના ફોલ્ડ દેખાય છે પરંતુ તે પાણીના ટાંકા સાથે જોડાયેલા છે કે નહી તે નક્કી નથી હોતુ  અથવા પાણીનો ટાંકો ચોવીસ કલાક ભરેલો જ રહે છે કે નહી તે ચેક કરવાની ફરજ કોની તે બાબતની અગણીત લોકોને ખબર જ નથી આ બધા વચ્ચે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સીસ્ટમ  કે કોડ ઓફ પ્રેક્ટીસ કોને કહેવાય,આ જાણકારી આપવી અને કડક અમલવારી કરાવવાની જવાબદારી ફાયર સાથે લગત ઘણા વિભાગની છે કેમકે આગ લાગે ત્યારે જો જાડુ કરવાનુ હોય તો બધા વિભાગો દોડી આવે છે નહીતર માત્ર ફાયર વિભાગ દોડધામ કરે આગ બુજાવે કારણ શોધે નુકસાની નુ સર્ટીફીકેટ આપે છે</p>
<p style="text-align: justify;">માર્ચ મહીનામાં ચોક્કસ સ્થળોએ આ પ્રેક્ટીસની મોસમ ખીલે છે તો બીજી તરફ જામનગર જલ્લા અને દરેક તાલુકાઓમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાળા કોલેજો જાહેર સ્થળોએ આગ સહિતની આપતીઓની મોકડ્રીલ કરવા કે નોટીસ આપવાનું ડીઝાસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાવ બંધ કરી દીધુ હોય એવુ લાગે છે.કેમકે જુદા જુદા બે ડઝનથી વધુ કેટેગરીના સ્થળે ડીઝાસ્ટર મેનેજમેન્ટ નોટીસ આપતુ શું કરવુ શું ન કરવુ ની સુચના અને સમજણ આપતુ તે આઠેક વરસથી સદંતર બંધ હોવાનુ જાણકારો કહે છે.</p>

<p style="text-align: justify;"><em><strong>-કેટલીય શાળા, કોલેજો, રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ,હોસ્પીટલ્સ, દવાખાનાઓ,શોપીંગ સેન્ટર,શોરૂમમાં ઇમરજન્સી એક્ઝીટ નથી તે વચ્ચે વધુ એક તાકીદ </strong></em></p>
<p style="text-align: justify;">જામનગર મહાનગરપાલિકા તેમજ જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના હદ વિસ્તારમાં આવેલ તમામ મોલ, મલ્ટિપ્લેક્ષ, હોસ્પીટલ, શાળા-કોલેજો, હોટલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્ષ પેટ્રોલપંપ, ગેસ ગોડાઉન તેમજ પેટ્રોલીયમ સ્ટેશન, અનાજ દળવાની ઘંટી કે  સંગ્રહની જગ્યાઓ જેવા એવા તમામ બિલ્ડીંગો તથા અન્ય જગ્યાએ જેમાં સામાન્ય લોકોની ૫૦ થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બિલ્ડીંગોના માલિકો/ઓક્યુપાયરે,ગુજરાત ફાયર સેફ્ટી કાયદા  તથા તેની હેઠળના નિયમો મુજબ તમામ  માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) મેળવવું તથા સમયાંતરે તેનો રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે.</p>
<p style="text-align: justify;">રિન્યુઅલ પ્રક્રિયા Gujarat Fire Safety COP પર ઓનલાઇન કરવાની આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બિલ્ડીંગના માલિક/ઓક્યુપાયર પર રહેશે.જે એકમોએ હજી સુધી સર્ટિફિકેટ મેળવેલ નથી અથવા રિન્યુઅલ બાકી છે, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી લેવી અન્યથા ચાલુ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</p>
<p style="text-align: justify;">વધુમાં ધી જી.પી.એમ.સી. એકટ-1949 ની કલમ-263 તથા 264 મુજબ તમામ બાંધકામ કરનાર આસામીઓએ બાંધકામ અંગેનાં વિકાસ પરવાનગી અને વપરાશ પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે.  તમામ ફાયર સેફ્ટી સિસ્ટમ અને સાધનો કાર્યરત છે તેની નિયમિત ચકાસણી કરવી તથા સમયાંતરે મેઇન્ટેનન્સ કરાવવું.ઉનાળાની સીઝનમાં આગના મોટા ભાગના બનાવ ઇલેક્ટ્રિકલ કારણોસર થતા હોય, બિલ્ડીંગની ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોનું સરકાર માન્ય કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિટ કરાવવું.</p>

<p style="text-align: justify;">એસી યુનિટ્સ સતત વધુ ક્ષમતા પર ચલાવવાના બદલે યોગ્ય ગેપ સાથે ચલાવાવા તથા સમયસર સર્વિસિંગ કરાવવું.ઇમરજન્સી દરમિયાન સલામત બહાર નીકળવા માટે સ્ટેરકેસ તથા ઇવેક્યુએશન રૂટ હંમેશા ખુલ્લા અને અવરોધમુક્ત રાખવા. આ રૂટમાં કોઈપણ પ્રકારનો સામાન, ગોડાઉન, ઇલેક્ટ્રિકલ બોર્ડ કે એવી આડકતરી યુનિટ સ્થાપિત ન કરવી.બિલ્ડીંગના બેઝમેન્ટ, પાર્કિંગ અથવા અન્ય જગ્યાએ બિનઅધિકૃત ઉપયોગ, વર્કશોપ, કૅફેટેરિયા કે સ્ટોરેજ સંગ્રહ ન કરવો. નકામા (Scrap) સામાન જેવી જગ્યાઓએ ખાસ આગ સુરક્ષા પગલાં લેવા અને અગમ્યકારક સંગ્રહ ટાળવો.લેબ, કિચન અથવા અન્ય સ્થળો માટે ઊંચા કક્ષાના સલામતી સાધનો રખાવા.</p>
<p style="text-align: justify;">રેસ્ટોરન્ટ/કૅન્ટીન/તમામ બાંધકામોમાં પુરતા ઇમરજન્સી એક્ઝિટ રાખવા તથા જરૂરી ફાયર સેફ્ટી સાધનો (ફાયર એક્સ્ટિંગ્યુશર વગેરે) કાર્યરત સ્થિતિમાં રાખવા અનિવાર્ય રહેશે જેથી આગ લાગવાના બનાવોને ટાળી તાત્કાલિક બચાવ થઈ શકે.આ તમામ સૂચનાઓનો કડકપણે અમલ કરવો. કોઈપણ પ્રકારની બેદરકારી જણાય તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેર નોટિસની સુચનાઓનું અવગણન જો કોઈ કારણના સાધનો અને NOC ની કામગીરી બાકી હોય અને જોડાણ અનધિકૃત અથવા બળજોરથી તેની બધી જ જવાબદારી જે-તે જગ્યાના ઉપયોગકર્તા તેમજ માલિકની રહેશે જેની મ્યુ.કમીશનર અને જાડા ચેરમેન દિનેશ મોદી દ્વારા  સખત તાકીદ કરવામાં આવી છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/">શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/another-notice-to-the-authorities-regarding-frequent-fires-caused/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60821</post-id>	</item>
		<item>
		<title>ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</title>
		<link>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/</link>
					<comments>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 06 May 2026 04:20:04 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60818</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">ડિસેમ્બર &#8211; 2025 થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ અરબી સમુદ્રની અંદર પણ પુરાતત્ત્વીય ઉત્ખનનનો પ્રથમ તબકકો શરૂ કરાયો હતો જેમાં ફર્સ્ટ ફેઈઝની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. પુરાતત્ત્વ વિભાગના ડાયરેકટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ સ્થળ મુલાકાત લઈ મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યુ હતું. દ્વારકા શહેર અને સમુદ્રની અંદર પણ સંશોધન અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉત્ખનનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામો સહિત ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રના સાંસ્કૃતિક મ,વસાહતની પદ્ધતિ અને દરિયાઈ વેપાર સહિતની પ્રવૃત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબધ્ધ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવામાં આવ્યું છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>રોમન સામ્રાજ્ય સહિત વિદેશી દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર &#8211;</u></p>
<p style="text-align: justify;">બેટ દ્વારકા પ્રાચીન સમયથી દરિયાકાંઠાની વસાહતો અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે જાણીતું છે. સાહિત્યિક પરંપરાઓમાં આ ટાપુનો &#8216;અંતરદ્વીપ&#8217; તરીકે ઉલ્લેખ છે જયારે વિદ્વાનો તેને પ્રાચીન ગ્રીક ગ્રંથ &#8216;પેરીપ્લસ ઓફ ધ એરીથ્રીયન સી’માં વર્ણવેલ ‘બારાકા’ સાથે જોડે છે. આ વિસ્તાર ભૌગોલિક સ્થિતિા કારણે પ્રાચીન સમયમાં રોમન સામ્રાજ્ય સહિતના દેશો સાથેના વિદેશી દરિયાઈ વેપારનું મોટું કેન્દ્ર રહયુ હોય તેવા પૂરાવા પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>ઉત્ખનનમાં મળ્યા મહત્વના પુરાવાઓ &#8211;</u></p>
<p style="text-align: justify;">વર્તમાન ઉત્ખનન કામગીરી બેટ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કીકરના વૃક્ષો, થોરની ગીચ વનસ્પતિ અને વન્યજીવોની હાજરીને કારણે અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારકા અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં થયેલ ઉત્ખનન કામગીરીમાં મહત્ત્વપૂર્ણ પૂરાવાઓ તથા અવશેષો પ્રાપ્ત થયા છે. ઉત્ખનન દરમ્યાન જમીનની અંદર પથ્થરની બનેલ માળખાકીય બાંધકામના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, સિકકા અને લોખંડની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. જે-તે સમયના સાંસ્કૃતિક અને વેપારી સબંધો પર પ્રકાશ પાડે છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211;</u><u>દ્વારકાના અરબી સમુદ્રમાં પણ સંશોધન કાર્ય &#8211;</u></p>
<p style="text-align: justify;">ગત ડિસેમ્બર માસથી શરૂ કરાયેલ અન્ડરવોટર સર્વેક્ષણની કામગીરી યાત્રાધામ દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પણ કરવામાં આવેલ. જેમાં પણ પુરાતત્ત્વ વિભાગને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પૂરાવાઓ પ્રાપ્ત થયા છે.</p>
<p style="text-align: justify;"><u>&#8211; </u><u>પ્રાચીન વસાહતનું સાતત્ય&#8230; &#8211;</u></p>
<p style="text-align: justify;">પુરાતત્ત્વ વિભાગ દ્વારા અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ પૂર્વ કિનારે BSD-1 થી BSD-4 તરીકે ઓળખાતા ચાર વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પત્થરના સ્થાપત્યો મળી આવ્યા હોય જે આ ટાપુ પર ‘પ્રોટોહિસ્ટોરિક’ (આદ્ય &#8211; ઐતિહાસિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસાહત રહી હોવાનું સાબિત કરે છે. આ ઉત્ખનન દ્વારા ભારતની સમૃદ્ધ સમુદ્રી વિરાસત અને પ્રાચીન વિશ્વ સાથેના તેના ગાઢ સબંધો વિશે વધુ ઊંડી માહિતી મળવાની અપેક્ષા છે.<strong>ફોટો: કુંજન રાડિયા</strong></p>
<p style="text-align: justify;">
<p>The post <a href="https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/">ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બેટ દ્વારકામાં પ્રથમ તબકકાનું પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્ય પૂર્ણ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/archaeological-survey-of-india-completes-first-phase-of-archaeological-excavations-at-bet-dwarka/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60818</post-id>	</item>
		<item>
		<title>જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</title>
		<link>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/</link>
					<comments>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 05 May 2026 06:50:12 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60815</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">જામનગર રણજીતસાગર રોડ પર થોડા દિવસ પૂર્વે ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગી હતી અને કેટલાય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અહી મોટાભાગનું સ્ટ્રક્ચર હંગામી કહી શકાય તેવું એટલે કે વાંસ અને લાકડાના બામ્બુઓ સહિતનું હતું, અહી ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ મનપાની ફાયર ટીમે કાબીલેદાદ કામગીરી મીનીટોમાં કરી આગને ફેલાતી અટકાવી હતી જો કે જામનગર મનપાને હવે યાદ આવ્યું કે આવા તો કેટલાય રેસ્ટોરન્ટ અને ધાબાઓ ગામની ફરતે છે&#8230;.!!! જેમાં નિયમોનો ઉલાળિયો થાય છે.</p>
<p style="text-align: justify;">આગ લાગે ત્યારે કુવો ખોદવાની મનપાની પ્રણાલી અગાઉથી જ છે તેવી જ રીતે આ કિસ્સામાં પણ હવે જામનગર આસપાસની પેરીફરીમાં આવા રેસ્ટોરન્ટ અને ધાબાઓ જેમની પાસે મનપાની બી.યુ પરમીશન નથી કે ફાયર એનઓસી નથી તેને સીલીંગ કરવા કાફલો આજે નીકળી પડ્યો જેમાં ઠેબા ચોકડી નજીક જામનગરી રેસ્ટોરન્ટ અને શિવ રેસ્ટોરન્ટને સીલીંગ કરી દેવામાં આવ્યા છે અને આસપાસમાં આવેલ અન્ય ધાબાઓ અને રેસ્ટોરન્ટમાં આજના દિવસે આવી કાર્યવાહી સતત આગળ ધપવાની હોવાનું જાણવા મળે છે.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/">જામનગરમાં એક આગ લાગીને તંત્ર નિંદ્રામાંથી જાગ્યું..!!</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/a-fire-in-jamnagar-woke-up-the-system-from-its-slumber/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60815</post-id>	</item>
		<item>
		<title>24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</title>
		<link>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/</link>
					<comments>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 05 May 2026 04:12:20 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60813</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ:બનાસકાંઠા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે લગભગ એકપણ દિવસ એવો નથી જતો જેમાં રાજ્યના કોઈ ને કોઈ વિભાગનો અધિકારી કર્મચારી લાંચ લેતા ના ઝડપાયો હોય લાન્ચિયાઓને કોઈનો ડર નથી તે બિન્દાસ્ત લાંચ લે છે અને બાદમાં એસીબી આવી ચઢે ત્યારે પગ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/">24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ:બનાસકાંઠા:</p>
<p style="text-align: justify;">રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે લગભગ એકપણ દિવસ એવો નથી જતો જેમાં રાજ્યના કોઈ ને કોઈ વિભાગનો અધિકારી કર્મચારી લાંચ લેતા ના ઝડપાયો હોય લાન્ચિયાઓને કોઈનો ડર નથી તે બિન્દાસ્ત લાંચ લે છે અને બાદમાં એસીબી આવી ચઢે ત્યારે પગ નીચે રેલો આવી જાય છે. જો છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો રાજ્યના બે જુદા જુદા જિલ્લાઓમાં એસીબીને સફળતા મળી છે અને લાન્ચિયાઓ સકંજામાં આવી ગયા છે.</p>
<p style="text-align: justify;">પહેલા કેસની વાત કરીએ તો અમદાવાદની નરોડા-6 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજના કામ અર્થે લાંચની માંગણી કરનાર સબ રજિસ્ટ્રાર સહિત ચાર શખ્સોને ACB એ રૂ. 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દસ્તાવેજ સંબંધિત કામકાજ માટે આરોપીઓએ કુલ રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. આ સોદો નક્કી કરવા માટે આરોપીઓએ વોટ્સએપ કોલનો ઉપયોગ કર્યો હતો, જેથી પકડાઈ ન જવાય.ACB ના છટકામાં આકાશ અમૃતભાઇ દેસાઇ – સબ રજીસ્ટ્રાર, નરોડા-6 (વર્ગ-2 અધિકારી), જય બળદેવભાઇ આદિવાસી – સિક્કા ઓપરેટર, રહીલ શૈખ – સર્ચ ઓપરેટર અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા – ખાનગી વ્યક્તિ (વચેટિયો) સકંજામાં આવ્યા છે.</p>

<p style="text-align: justify;">જ્યારે બીજા કેસની વિગતો એવી છે કે બનાસકાંઠાના ડીસા તાલુકાની રામપુરા (દામા) ગ્રામ પંચાયતમાં એ.સી.બી.એ લાંચની ટ્રેપ ગોઠવી એક તલાટી-કમ-મંત્રીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. 15 મા નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલો મંજૂર કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રી કીર્તિકુમાર રામાભાઇ પ્રજાપતિએ 15 મા નાણા પંચના વિકાસના કામોના બિલો મંજૂર કરવા માટે ટકાવારી પેટે ₹15000 ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે બનાસકાંઠા એ.સી.બી. દ્વારા રામપુરા (દામા) ગ્રામ પંચાયત ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન તલાટી કીર્તિકુમાર પ્રજાપતિ ₹૧૫,૦૦૦ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા.</p>
<p style="text-align: justify;"></p>
<p>The post <a href="https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/">24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/2-bribery-cases-in-24-hours-sub-registrars-office-and-talati-come-mantri/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60813</post-id>	</item>
		<item>
		<title>કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</title>
		<link>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/</link>
					<comments>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Mon, 04 May 2026 09:06:32 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60808</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી. આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/">કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી. આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી પતિ દેસુર સુવાએ ઘાતક હથિયારો વડે પોતાના પત્ની ઉપર હુમલો કરી, માથાના તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ આરોપીએ પોતે પણ દવા પી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આરોપીના પરિવારજન દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.</p>

<p style="text-align: justify;">જે અન્વયે પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, મેડિકલ ઓફિસર, આઈ.ઓ. તથા અન્ય સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાનમાં રાખી, અદાલતે આરોપી દેસુર જેસાભાઈ સુવાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂ. 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.</p>

<p>The post <a href="https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/">કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/life-imprisonment-for-husband-who-murdered-wife-in-kalyanpur/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60808</post-id>	</item>
		<item>
		<title>મહેસૂલ વિભાગ દ્વારા ચિંતન શિબિર: જમીન વહીવટમાં નવીન ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકાશે</title>
		<link>https://mysamachar.in/revenue-department-conducts-chintan-shibir/</link>
					<comments>https://mysamachar.in/revenue-department-conducts-chintan-shibir/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Mon, 04 May 2026 05:44:12 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60806</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ: આવતીકાલ  તા. 5 થી 7 મે, 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય &#8216;ચિંતન શિબિર&#8217;નું આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરવામાં આવશે. મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/revenue-department-conducts-chintan-shibir/">મહેસૂલ વિભાગ દ્વારા ચિંતન શિબિર: જમીન વહીવટમાં નવીન ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકાશે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-અમદાવાદ:</p>
<p style="text-align: justify;">આવતીકાલ  તા. 5 થી 7 મે, 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય &#8216;ચિંતન શિબિર&#8217;નું આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરવામાં આવશે. મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવઓ, અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા વિષય તજજ્ઞો વિશેષ રીતે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે.</p>
<p style="text-align: justify;">મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા અને વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરવામાં આવશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવશે. જમીન વહીવટમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, તેમ તેમણે જણાવ્યું હતું.</p>

<p style="text-align: justify;">ચિંતન શિબિર દરમિયાન વિવિધ મહત્વના વિષયો જેવા કે પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન વગેરે ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, જમીન માપણી (Survey/Re-survey) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.</p>
<p style="text-align: justify;">ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, Survey of India સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે અને વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. વિભાગ માટે જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.</p>
<p style="text-align: justify;">મહેસૂલ વિભાગ દ્વારા અગાઉ યોજાયેલ એકશન સેમિનારમાં થયેલ ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલ કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરીને આ ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ ચિંતન શિબિરની પહેલથી રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો આવશે અને નાગરિકકેન્દ્રી વહીવટ વધુ મજબૂત બનશે.</p>

<p>The post <a href="https://mysamachar.in/revenue-department-conducts-chintan-shibir/">મહેસૂલ વિભાગ દ્વારા ચિંતન શિબિર: જમીન વહીવટમાં નવીન ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકાશે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/revenue-department-conducts-chintan-shibir/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60806</post-id>	</item>
		<item>
		<title>વિપક્ષ નેતાને પછડાટ આપી ભાજપના બુથ પ્રમુખ અમર કનખરા બાજી મારી ગયા, નેતાઓની પસંદગી સાર્થક થઇ</title>
		<link>https://mysamachar.in/bjp-booth-president-amar-kankhara-won-by-defeating-the-opposition-leader/</link>
					<comments>https://mysamachar.in/bjp-booth-president-amar-kankhara-won-by-defeating-the-opposition-leader/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Sat, 02 May 2026 08:38:31 +0000</pubDate>
				<category><![CDATA[રાજકારણ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60802</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે વોર્ડ નંબર 13ના પરિણામોની વાત કરીએ તો શેરીઓ ગલીઓમાં બધે જ ભાજપના બુથ પ્રમુખ અને હવે કોર્પોરેટર બનેલ અમર કનખરાની જ ચર્ચાઓ થઇ રહી છે લોકો કહે છે કે કોર્પોરેશનના વિપક્ષ નેતા કોંગ્રેસના ધવલ નંદાને જે કારમો પરાજય આપ્યો તે અમર કનખરાની લોકચાહના અને ઝળહળતા સિતારા સમાન બન્યુ છે. [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/bjp-booth-president-amar-kankhara-won-by-defeating-the-opposition-leader/">વિપક્ષ નેતાને પછડાટ આપી ભાજપના બુથ પ્રમુખ અમર કનખરા બાજી મારી ગયા, નેતાઓની પસંદગી સાર્થક થઇ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર</p>
<p style="text-align: justify;">જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે વોર્ડ નંબર 13ના પરિણામોની વાત કરીએ તો શેરીઓ ગલીઓમાં બધે જ ભાજપના બુથ પ્રમુખ અને હવે કોર્પોરેટર બનેલ અમર કનખરાની જ ચર્ચાઓ થઇ રહી છે લોકો કહે છે કે કોર્પોરેશનના વિપક્ષ નેતા કોંગ્રેસના ધવલ નંદાને જે કારમો પરાજય આપ્યો તે અમર કનખરાની લોકચાહના અને ઝળહળતા સિતારા સમાન બન્યુ છે. અને પાર્ટીમાં પણ આ બાબતની નોંધ લેવાઈ છે.</p>
<p style="text-align: justify;">કોણ કહે છે કે બુથ પ્રમુખને સમગ્ર વોર્ડમાં લોકો જાણતા ન હોય કે  લોકપ્રિય ન હોય.?? તેમજ લોકો માટે અવિરત દોડનારાઓ માટે ચુંટણી જીતવી ખુબ સહેલુ બની જાય તેનું ઉદાહરણ અમર કનખરાએ પૂરું પાડ્યું છે, આવા દરેક સવાલ અને રસપ્રદ સમીક્ષા માટે અમર કનખરા હવે સમગ્ર જામનગરમાં છવાઇ ગયેલુ નામ બની ગયુ છે તેમની ખૂબ જ ઐતિહાસીક જીત છતા વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર અમર એ ખૂબ જ વિનમ્ર છે તેમને પોતાની જીતનો શ્રેય કાર્યકર્તાઓ તેમજ હોદેદારોને આપ્યો&#8230;.આને કહેવાય નાની વયમા પરીપક્વતા&#8230;.તેમજ કોઇ અભિમાન વગર ઉમેર્યુ કે હુ નાગરીકોની સેવા કરીશ પક્ષનુ અને વિસ્તારનુ નામ વધે એ જ મારી ખરી નેમ છે&#8230;..આવા ઉતમ વિચારો જોઇને લોકો દંગ રહી ગયા છે અને કહે છે કે અમર કનખરા સાચા લોકસેવક છે સાચા નગરસેવક છે.</p>

<p style="text-align: justify;">કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા રહેલા અને રાજકીય વારસો ધરાવતા કોંગ્રેસના ધવલ નંદા સામે કોર્પોરેટર અમર કનખરા આ ચુંટણીમાં સીધા જ ફાઇટમાં હતા અને અમર કનખરાનો 582 મતથી વિજય થતા ધવલ નંદાને ઝટકો લાગ્યો હતો, આ યુવા અને ઉભરતા એવા ભાજપના ઉમેદવાર સામે હવે ધવલ નંદા માટે રાજકીય ફરી સક્રીયતા અને સફળતા એક જ ઝાટકે બહુ દૂર થઇ ગયાનો અમુક લોકોનો અભિપ્રાય છે આમ અમર કનખરાએ આ વિસ્તારમાં જાયન્ટ કિલરનું પણ સ્થાન મેળવી લીધું છે.</p>
<p style="text-align: justify;">વિશેષ નોંધપાત્ર બાબત એ પણ છે કે વોર્ડ નંબર 13 ના વિસ્તારો આર્યસમાજ લગત કુંવરબાઇ ધર્મશાળા, કબીર આશ્રમ વિસ્તાર,   કિશાન ચોક, બાઇની વાડી, દિગ્વીજય પ્લોટ, કંસારા બજાર ન્યુ સ્કુલ વિસ્તાર, દ્વારકાપુરી રોડ, હવાઇચોક વગેરે સહિત ખૂબ જ ફેલાયેલા અને વિસ્તૃત વિસ્તારોમાં આમ પણ ખુણે ખુણે થી લોકો કહે છે કે અમર કનખરા અમારા લોકપ્રિય નેતા છે અમુક લોકો એમ પણ કહેતા હતા કે રાજકારણમાં વર્ષો નીકળી જાય તો પણ ટીકીટ મળવી મુશ્કેલ અને ટીકીટ મળે તો જીતવુ મુશકેલ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ યુવાનમાં હીર જોયુ માટે મેદાનમા ઉતાર્યા તે પણ સજ્જડ હરીફ સામે,ત્યારે અમર કનખરાની જીત એ ઐતીહાસીક જીત થઇ છે. વોર્ડ નંબર 13 માં તો લોકોના હ્રદયમા અમરનુ સ્થાન એ ઉજ્જવળ રાજકીય અને લોકપ્રિય નેતા તરીકેની કારકીર્દીના સૂચક ગણાય છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/bjp-booth-president-amar-kankhara-won-by-defeating-the-opposition-leader/">વિપક્ષ નેતાને પછડાટ આપી ભાજપના બુથ પ્રમુખ અમર કનખરા બાજી મારી ગયા, નેતાઓની પસંદગી સાર્થક થઇ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/bjp-booth-president-amar-kankhara-won-by-defeating-the-opposition-leader/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60802</post-id>	</item>
	</channel>
</rss>
