<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>My Samachar</title>
	<atom:link href="https://mysamachar.in/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://mysamachar.in/</link>
	<description>Online News Portal for Gujarat</description>
	<lastBuildDate>Fri, 15 May 2026 12:21:56 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://mysamachar.in/wp-content/uploads/2023/11/cropped-mysamachar-sample-logo-03-round-32x32.png</url>
	<title>My Samachar</title>
	<link>https://mysamachar.in/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
<site xmlns="com-wordpress:feed-additions:1">231578003</site>	<item>
		<title>વડાપ્રધાનની અપીલ બાદ રાજ્યની કેબિનેટમાં શું થઇ ચર્ચાઓ..? શું છે નવી માર્ગદર્શિકા..?</title>
		<link>https://mysamachar.in/what-decisions-were-taken-in-the-state-cabinet-after-the-prime-ministers-appeal/</link>
					<comments>https://mysamachar.in/what-decisions-were-taken-in-the-state-cabinet-after-the-prime-ministers-appeal/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Fri, 15 May 2026 12:21:17 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60904</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરવામાં આવી છે. આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ સૂચિત પગલાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જે પગલાઓ નીચે મુજબ છે: *સરકારી કામકાજ માટે પ્રવાસનું આયોજન માત્ર જરૂરિયાત મુજબ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/what-decisions-were-taken-in-the-state-cabinet-after-the-prime-ministers-appeal/">વડાપ્રધાનની અપીલ બાદ રાજ્યની કેબિનેટમાં શું થઇ ચર્ચાઓ..? શું છે નવી માર્ગદર્શિકા..?</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;"><em><strong>વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરવામાં આવી છે. આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ સૂચિત પગલાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જે પગલાઓ નીચે મુજબ છે:</strong></em></p>

<p style="text-align: justify;"><em><strong>*સરકારી કામકાજ માટે પ્રવાસનું આયોજન માત્ર જરૂરિયાત મુજબ જ કરવાનું રહેશે.</strong></em></p>
<p style="text-align: justify;"><em><strong> *અધિકારીઓએ પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.</strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>*અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠક યોજવાની રહેશે.</strong></em></p>

<p style="text-align: justify;"><em><strong>* અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા તાકીદ કરવામાં આવી છે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ કે વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો અને પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ જરૂરી ન હોય તેવા સ્ટાફને સાથે ન રાખવા સૂચના અપાઈ છે.</strong></em></p>

<p style="text-align: justify;"><em><strong>* શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીને જાણ કરવી.</strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* સરકારી અધિકારી/કર્મચારીઓના પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત, દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળનાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાનાં વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે.</strong></em></p>

<p style="text-align: justify;"><em><strong>* જો કોઈ અધિકારી એકથી વધુ હવાલો સંભાળતા હોય, તો તેમણે એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો &#8216;સરકારી વાહન પુલ&#8217;માં જમા કરાવવાના રહેશે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* જે અધિકારીઓ પાસે સરકારી વાહનના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેમણે EV અથવા હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.</strong></em></p>

<p style="text-align: justify;"><em><strong>* જાહેર સુવિધા માટે મેટ્રોનો સમય રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEsને અગ્રતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસિ મજબૂત કરાશે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણના કાર્યક્રમોમાં &#8216;વર્ચુઅલ પદ્ધતિ&#8217;નો આગ્રહ રાખવા સૂચના અપાઈ છે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ ગેસ કનેક્ટિવિટી (PNG) ફરજિયાત બનાવવામાં આવશે. </strong></em></p>
<p style="text-align: justify;"><em><strong>* બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.</strong></em></p>

<p>The post <a href="https://mysamachar.in/what-decisions-were-taken-in-the-state-cabinet-after-the-prime-ministers-appeal/">વડાપ્રધાનની અપીલ બાદ રાજ્યની કેબિનેટમાં શું થઇ ચર્ચાઓ..? શું છે નવી માર્ગદર્શિકા..?</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/what-decisions-were-taken-in-the-state-cabinet-after-the-prime-ministers-appeal/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60904</post-id>	</item>
		<item>
		<title>જામનગર: 117 ઈમારતો અને તેનો ભાગ જોખમી,1 સપ્તાહ હજુ ચાલશે સર્વે</title>
		<link>https://mysamachar.in/jamnagar-117-buildings-and-parts-thereof-are-dangerous-survey-to-continue-for-another-week/</link>
					<comments>https://mysamachar.in/jamnagar-117-buildings-and-parts-thereof-are-dangerous-survey-to-continue-for-another-week/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 14 May 2026 06:03:45 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60900</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દરવર્ષે જામનગર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે જર્જરિત ઈમારતોનો સર્વે જુદી-જુદી ટીમો બનાવીને કરવામાં આવી રહ્યો છે, જેમાં ગત વર્ષ નોટીસો આપેલ ઈમારતો અને તેના ભાગોને સુરક્ષિત કરવામાં આવ્યા કે કેમ તેનાથી શરૂઆત કરી અને એક વર્ષ દરમિયાન બનેલ અન્ય જર્જરિત ઈમારતોને પણ આ નોટીસની કાર્યવાહીમાં આવરી લેવામાં આવે [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/jamnagar-117-buildings-and-parts-thereof-are-dangerous-survey-to-continue-for-another-week/">જામનગર: 117 ઈમારતો અને તેનો ભાગ જોખમી,1 સપ્તાહ હજુ ચાલશે સર્વે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><strong>Mysamachar.in-જામનગર:</strong></p>
<p style="text-align: justify;"><strong>જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દરવર્ષે જામનગર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે જર્જરિત ઈમારતોનો સર્વે જુદી-જુદી ટીમો બનાવીને કરવામાં આવી રહ્યો છે, જેમાં ગત વર્ષ નોટીસો આપેલ ઈમારતો અને તેના ભાગોને સુરક્ષિત કરવામાં આવ્યા કે કેમ તેનાથી શરૂઆત કરી અને એક વર્ષ દરમિયાન બનેલ અન્ય જર્જરિત ઈમારતોને પણ આ નોટીસની કાર્યવાહીમાં આવરી લેવામાં આવે છે.</strong></p>
<p><strong></strong></p>
<p style="text-align: justify;"><strong>મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી ઊર્મિલ દેસાઈ જણાવે છે કે 6 ટિમો દ્વારા છેલ્લા બે સપ્તાહથી સર્વેની કામગીરી ચાલી રહી છે તેમાં 117 જેટલા જોખમી ઈમારતોના માલિકો અને ઉપયોગકર્તાઓને ઇમારતો અને તેનો જર્જરિત ભાગ સલામત કક્ષાએ લાવવા નોટીસો પાઠવવામાં આવી છે. ઉપરાંત આ વખતે સર્વે દરમિયાન વધુ 17 ઇમારતો જર્જરિત હોવાનું ધ્યાનમાં આવતાં તે તમામને નોટિસ આપી દેવાઇ છે.અને આ સર્વેની કામગીરી આગામી સપ્તાહમાં પૂર્ણ થાય તેમ લાગે છે.</strong></p>
<p><strong></strong></p>
<p style="text-align: justify;"><strong>જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર અને આસી. કમિશનર ભાવેશ જાની તેમજ ટીપીઓના ઊર્મિલ દેસાઈ અને અનિલ ભટ્ટના માર્ગદર્શનમાં ખાસ તો જુના જામનગર અને શહેરના અન્ય તમામ જુદા જુદા વિસ્તારોમાં સર્વે કામગીરી ચાલી રહી છે. આ સર્વે કરાવવા પાછળનું ઉદેશ્ય ભારે વરસાદ કે આપતી સમયે આવી ઈમારતો કે તેના ભાગથી કોઈ જાનમાલની નુકશાની ના થાય તેવો છે. વધુમાં જાણવા મળે છે કે જામનગર શહેરમાં કુલ છ ઇમારતો અતિ જર્જરીત છે અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.</strong></p>
<p><strong></strong></p>
<p style="text-align: justify;"><strong>અતિ જજરિત જેને ટાઉન પ્લાનિંગ વિભાગ એ કેટેગરીમાં સમાવેશ કરે છે તેમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજ વાળી ઈમારત, પટેલ કોલોની શેરી નંબર 11 માં આવેલ મીરા એપાર્ટમેન્ટ, નવાગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી એપાર્ટમેન્ટ વાળું બિલ્ડીંગ, શરૂ સેક્શન રોડ પર આવેલ ઓધવરામ એપાર્ટમેન્ટ જે ઈમારતોને વપરાશમુક્ત કરાઈ છે.</strong></p>
<p><strong></strong></p>
<p style="text-align: justify;"><strong>ઉપરાંત ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલું કસ્ટમ હાઉસ વાળું જુનું બીલ્ડીંગ તેમજ જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની ઓફિસો સહિતના કુલ છ બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તેમ અધિકારીએ વાતચીતના અંતે જણાવ્યું હતું.</strong></p>
<p><strong></strong></p>
<p>The post <a href="https://mysamachar.in/jamnagar-117-buildings-and-parts-thereof-are-dangerous-survey-to-continue-for-another-week/">જામનગર: 117 ઈમારતો અને તેનો ભાગ જોખમી,1 સપ્તાહ હજુ ચાલશે સર્વે</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/jamnagar-117-buildings-and-parts-thereof-are-dangerous-survey-to-continue-for-another-week/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60900</post-id>	</item>
		<item>
		<title>જામનગરના સુરેશભાઇ વશરાનો અનોખો સેવાયજ્ઞ</title>
		<link>https://mysamachar.in/unique-service-offering-by-sureshbhai-vashra-of-jamnagar/</link>
					<comments>https://mysamachar.in/unique-service-offering-by-sureshbhai-vashra-of-jamnagar/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 14 May 2026 05:03:06 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60896</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: જામનગરના જાણીતા લેન્ડ ડેવલોપર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઇ વશરા ની સંપૂર્ણ દેખરેખ હેઠળ ચાલી રહેલા નિ:શુલ્ક ગૌધન સારવાર સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં 4 હજારથી વધુ ગાય માતાની સારવાર કરવામાં આવી છે. અસંખ્ય ગાયોને રોગમુકત કરાવી નવજીવન આપવામાં આવ્યું છે. યુવા સેવાભાવી આગેવાન સુરેશભાઇ વશરાએ કોઇ પણ વ્યકિત પાસેથી એક [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/unique-service-offering-by-sureshbhai-vashra-of-jamnagar/">જામનગરના સુરેશભાઇ વશરાનો અનોખો સેવાયજ્ઞ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;"><strong>જામનગરના જાણીતા લેન્ડ ડેવલોપર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઇ વશરા ની સંપૂર્ણ દેખરેખ હેઠળ ચાલી રહેલા નિ:શુલ્ક ગૌધન સારવાર સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં 4 હજારથી વધુ ગાય માતાની સારવાર કરવામાં આવી છે. અસંખ્ય ગાયોને રોગમુકત કરાવી નવજીવન આપવામાં આવ્યું છે.</strong></p>
<p style="text-align: justify;"><strong>યુવા સેવાભાવી આગેવાન સુરેશભાઇ વશરાએ કોઇ પણ વ્યકિત પાસેથી એક પૈસાનો પણ ફાળો કે સહયોગ લીધા વગર પોતાના ખર્ચે અને આત્મબળે લાલપુરથી ગાયોની સેવાનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. તેઓએ નિ:શુલ્ક રીતે પશુપાલકોને તેઓની બિમાર ગાયની સારવાર વિનામુલ્યે થઇ શકે તે માટે ગૌધન સારવાર કેન્દ્રની શરૂઆત 1 ઓકટોબર 2022ના રોજ કરી હતી. 11 કુમારિકાઓના હસ્તે આ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો.</strong></p>

<p style="text-align: justify;"><strong>લાલપુર, </strong><strong>જામજોધપુર અને ભાણવડના મળીને કુલ 150 ગામમાં ગૌધન સારવારની સેવા આપવામાં આવી રહી છે. લાલપુર તાલુકાની ગૌશાળામાં પણ ગાયોને નિયમિત સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરેશભાઇ વશરા સ્થાપિત આ નિ:શુલ્ક ગૌધન સારવાર કેન્દ્ર મારફત 4000થી વધુ ગાયોની સારવાર થઇ ચુકી છે અને હજુ પણ આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલુ છે. જુદા-જુદા 60 જેટલા રોગનું નિદાન કરી તેની જરૂરી સારવાર કરવામાં આવે છે. સુરેશભાઇના આ સેવા કાર્યમાં અનેક ગૌસેવકો પણ જોડાયા છે. ગાયની સારવાર માટે તેમના દ્વારા હેલ્પલાઇન નં.93168 09898 પણ જાહેર કરવામાં આવ્યો છે. કોઇ પણ પશુપાલકને તેની બિમાર ગાયની સારવાર તેના સ્થળે જઇને આ કેન્દ્રની ટીમ દ્વારા માત્ર 45 મિનિટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઇમરજન્સી કેસમાં રાત્રે પણ આ ટીમ ગાયની સારવાર માટે સેવા કરે છે.</strong></p>
<p style="text-align: justify;"><strong><img fetchpriority="high" decoding="async" class="alignnone size-full wp-image-60898" src="https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM.jpeg" alt="" width="1200" height="871" srcset="https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM.jpeg 1200w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-300x218.jpeg 300w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-1024x743.jpeg 1024w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-768x557.jpeg 768w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-120x86.jpeg 120w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-750x544.jpeg 750w, https://mysamachar.in/wp-content/uploads/2026/05/WhatsApp-Image-2026-05-13-at-7.02.58-PM-1140x827.jpeg 1140w" sizes="(max-width: 1200px) 100vw, 1200px" />સુરેશભાઇ વશરા અગાઉ પ્રદેશ ભાજપ કિશાન મોરચામાં મંત્રી રહી ચુકયા છે અને હાલ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. બાળપણથી જ ગાયો પ્રત્યેના લગાવને કારણે તેમણે ગૌસેવાનું આ અભિયાન શરૂ કર્યુ છે. આ ઉપરાંત તેઓ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીને જરૂરી માર્ગદર્શન અને યથા યોગ્ય મદદ પણ આપે છે. તેઓ સમાજ ઉપયોગી અન્ય પ્રવૃત્તિ પણ કરે છે. સુરેશભાઇની સેવાની બીજી સુવાસની વાત કરીએ તો તેઓએ અનેક વખત રકતદાન કેમ્પ, </strong><strong>સર્વરોગ નિદાન કેમ્પ યોજયા છે ઉપરાંત રમત-ગમ્મતને પણ પ્રોત્સાહન આપે છે અને ખેડૂતોના કામો અને પ્રશ્ર્નોના ઉકેલ માટે સક્રિય છે. તેમણે 30 હજાર ઘરોમાં કે જે ખાસ કરીને ગાયોનો નિભાવ કરે છે ત્યાં ગૌધન સારવાર કેન્દ્રની વિગત આપતા કેલેન્ડર પહોંચાડયા છે અને આ સેવા પ્રવૃત્તિ માટે લાલપુરમાં ઓફિસ શરૂ કરી છે.</strong></p>

<p style="text-align: justify;"><strong>તેમના મતે ગૌસેવા એ પરમ અને પ્રથમ ધર્મ છે. લાલપુરમાં સામેકાંઠે આવેલ સિટી આર્કેટ ઇમારતના બીજા માળે ઓફિસ નં.10માં તેમનું આ નિ:શુલ્ક ગૌધન સારવાર સેવા કેન્દ્ર કાર્યરત છે. નિ:શુલ્ક ગૌધન સારવાર સેવા કેન્દ્રમાં ડોકટર, </strong><strong>કમ્પાઉન્ડર, </strong><strong>રેસ્કયુ ટીમ, </strong><strong>ડ્રાઇવર અને સ્વયંસેવકોનો અનમોલ ફાળો છે કે જેવો દિવસ-રાત, </strong><strong>તડકો-વરસાદ જોયા વગર દુર્ઘટના કે તાત્કાલિક પરિસ્થિતિના સંજોગોમાં ગૌસેવા માટે તત્પર રહે છે. આ ટીમને કારણે આ સેવા કેન્દ્ર સુંદર રીતે સેવા કરી રહ્યું હોવાનું સુરેશભાઇ વશરાએ જણાવ્યું હતું.</strong></p>

<p style="text-align: justify;"><strong>સુરેશભાઇ ગોવાભાઇ વશરાનો જન્મ માલધારી અને ખેડૂત પરિવારમાં જામનગર જિલ્લાના મોટી ભલસાણ ગામે થયો હતો તેમનું બાળપણ લાલપુરના વાવડી ગામે વિત્યું હતું. સેવાભાવ અને સંસ્કારો તેમને વારસામાં મળ્યા છે. ગૌસેવા અને ગ્રામસેવા પ્રત્યે તેમને ભારે લગાવ છે. તેઓ જીવનના પ્રારંભથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી તેઓને ગ્રામ્ય જીવનની સમસ્યાઓ, </strong><strong>જરૂરીયાતો અને લોકોના દુ:ખ-દર્દને નજીકથી સમજવાનો બહોળો અનુભવ છે તેઓ ખેતીમાં સક્રિયતા દાખવવા ઉપરાંત જામનગરમાં બાંધકામ ક્ષેત્રમાં પણ એક સફળ વ્યવસાયી તરીકે પણ પ્રસ્થાપિત થયા છે. વિવિધ સમાજિક અને ધાર્મિક અને લોકકલ્યાણના કાર્યોમાં તેઓ યોગદાન આપે છે. રાજકીયક્ષેત્રે સુરેશભાઇએ ભાજપના કાર્યકર તરીકે લોકોની સેવા કરવાનું ધ્યેય સ્વીકાર્યુ છે.</strong></p>

<p style="text-align: justify;"><strong>સુરેશભાઇના મતે હિન્દુ ધર્મને સંસ્કૃતિમાં ગાય માતાનું આગવું સ્થાન છે. ગૌધન તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે તો જ જીવન સમૃધ્ધ અને સુખી બનશે અને તેથી જ તેમણે ગૌસેવા ઉપરાંત શિક્ષણ, </strong><strong>આરોગ્ય અને ગ્રામ વિકાસના કાર્ય કરવાનું પસંદ કર્યુ છે. તેમના ગૌધન સારવાર કેન્દ્ર મારફત શરૂઆતમાં લાલપુર પંથકના 20 ગામ સુધી સેવા ઉપલબ્ધ હતી જે ધીમે-ધીમે વધીને આજે 150 કરતા પણ વધુ ગામો સુધી પહોંચી ચુકી છે. ગાયોની નિ:શુલ્ક સારવાર ઉપરાંત તેઓ દવા પણ ઉપલબ્ધ કરાવે છે. જામનગરમાં લાલ બંગલા નજીક આવેલ માધવ પ્લાઝા ખાતે પણ પ્રણામી ડેવલોર્પસ (ઓફિસ નં.406)ના નામે તેમની ઓફિસ કાર્યરત છે. જયાં પણ તેમનો સંપર્ક થઇ શકે છે.</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/unique-service-offering-by-sureshbhai-vashra-of-jamnagar/">જામનગરના સુરેશભાઇ વશરાનો અનોખો સેવાયજ્ઞ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/unique-service-offering-by-sureshbhai-vashra-of-jamnagar/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60896</post-id>	</item>
		<item>
		<title>ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટ્યું અને બસ સાથે થઇ ટક્કર, 4 ના મોત</title>
		<link>https://mysamachar.in/asphalt-tanker-tire-bursts-and-collides-with-bus-4-killed/</link>
					<comments>https://mysamachar.in/asphalt-tanker-tire-bursts-and-collides-with-bus-4-killed/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 14 May 2026 04:37:31 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરેન્દ્રનગર]]></category>
		<category><![CDATA[slider]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60891</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-સુરેન્દ્રનગર: રાજકોટથી અમદાવાદ સુધીના હાઈવે પર ચોટીલા નજીક અવારનવાર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે અને આ અકસ્માતોમાં કેટલાય લોકો મોતને ભેટે છે આવો જ એક ગમખ્વાર અકસ્માત ગત મોડી રાત્રીના થયો જેમાં ચાર લોકોના બસમાં સળગી જવા થી મોત થયા છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/asphalt-tanker-tire-bursts-and-collides-with-bus-4-killed/">ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટ્યું અને બસ સાથે થઇ ટક્કર, 4 ના મોત</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-સુરેન્દ્રનગર:</p>
<p>રાજકોટથી અમદાવાદ સુધીના હાઈવે પર ચોટીલા નજીક અવારનવાર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે અને આ અકસ્માતોમાં કેટલાય લોકો મોતને ભેટે છે આવો જ એક ગમખ્વાર અકસ્માત ગત મોડી રાત્રીના થયો જેમાં ચાર લોકોના બસમાં સળગી જવા થી મોત થયા છે.</p>
<p style="text-align: justify;">ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે.. જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.</p>

<p style="text-align: justify;">ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.</p>

<p style="text-align: justify;">ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, મોડી રાત્રે દોઢ વાગ્યે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટીયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે. બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલું, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતાં, એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણું, એવી વિગત સામે આવેલ છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/asphalt-tanker-tire-bursts-and-collides-with-bus-4-killed/">ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટ્યું અને બસ સાથે થઇ ટક્કર, 4 ના મોત</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/asphalt-tanker-tire-bursts-and-collides-with-bus-4-killed/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60891</post-id>	</item>
		<item>
		<title>ખેડૂતો માટે કામના સમાચાર: વર્ષ 2026/27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર</title>
		<link>https://mysamachar.in/good-news-for-farmers-support-prices-for-kharif-crops-announced-for-the-year-2026-27/</link>
					<comments>https://mysamachar.in/good-news-for-farmers-support-prices-for-kharif-crops-announced-for-the-year-2026-27/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Thu, 14 May 2026 04:16:50 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60889</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-ગાંધીનગર: વર્ષ 2026/27 માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/good-news-for-farmers-support-prices-for-kharif-crops-announced-for-the-year-2026-27/">ખેડૂતો માટે કામના સમાચાર: વર્ષ 2026/27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-ગાંધીનગર:</p>
<p style="text-align: justify;">વર્ષ 2026/27 માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.</p>
<p style="text-align: justify;">રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.</p>

<p style="text-align: justify;">વર્ષ 2026/27 માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. 7517  પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. 8667 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ.2441 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. 4023 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2900  પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. 5205 પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. 2410 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 8450 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8780 પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. 8200 પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. 10346 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.</p>

<p style="text-align: justify;">ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી), તલ અને તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ક્રમશ: રૂ. 557, રૂ. 500 અને રૂ. 450નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.</p>

<p>The post <a href="https://mysamachar.in/good-news-for-farmers-support-prices-for-kharif-crops-announced-for-the-year-2026-27/">ખેડૂતો માટે કામના સમાચાર: વર્ષ 2026/27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/good-news-for-farmers-support-prices-for-kharif-crops-announced-for-the-year-2026-27/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60889</post-id>	</item>
		<item>
		<title>રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ</title>
		<link>https://mysamachar.in/transfers-of-72-ias-officers-of-the-state-these-officers-of-halar-including-jamnagar-commissioner/</link>
					<comments>https://mysamachar.in/transfers-of-72-ias-officers-of-the-state-these-officers-of-halar-including-jamnagar-commissioner/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 04:08:47 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60887</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં થયેલ અધિકારીઓની વિગતો ડી.એન. [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/transfers-of-72-ias-officers-of-the-state-these-officers-of-halar-including-jamnagar-commissioner/">રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:</p>
<p><strong>રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.</strong></p>

<p><strong>જામનગર અને દેવભૂમિ દ્વારકામાં થયેલ અધિકારીઓની વિગતો</strong></p>
<p><strong>ડી.એન. મોદી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક</strong></p>
<p><strong>દીપેશ કેડિયા, IAS: ડી.ડી.ઓ., અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર</strong></p>
<p><strong>અંકિત પન્નુ, IAS: ડી.ડી.ઓ., જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક</strong></p>

<p><strong>નિશા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ભરૂચથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જામનગર તરીકે નિમણૂક કરવામાં આવી</strong></p>
<p><strong>સ્વપ્નિલ મહાદેવ સિસલે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), વાંસદા તરીકે નિમણૂક કરવામાં આવી છે.</strong></p>
<p><strong>લેફ્ટનન્ટ કર્નલ આવટે અમોલ શાંતારામ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/transfers-of-72-ias-officers-of-the-state-these-officers-of-halar-including-jamnagar-commissioner/">રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/transfers-of-72-ias-officers-of-the-state-these-officers-of-halar-including-jamnagar-commissioner/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60887</post-id>	</item>
		<item>
		<title>પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના</title>
		<link>https://mysamachar.in/collector-rajesh-tanna-instructs-that-there-should-be-no-slackness-in-pre-monsoon-post-monsoon-operations/</link>
					<comments>https://mysamachar.in/collector-rajesh-tanna-instructs-that-there-should-be-no-slackness-in-pre-monsoon-post-monsoon-operations/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 12 May 2026 07:38:53 +0000</pubDate>
				<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60881</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ-૨૦૨૬ અંતર્ગત પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની  બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ તળાવો, નદીપટ અને વોકળાઓની સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરવા, તાલુકા અને વોર્ડવાર રેસ્ક્યુ ટીમોની રચના, અગમચેતીના સંદેશા ઝડપથી પહોંચે તે માટે મજબૂત નેટવર્કિંગ સિસ્ટમ ઉભી કરવા તથા કંટ્રોલ [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/collector-rajesh-tanna-instructs-that-there-should-be-no-slackness-in-pre-monsoon-post-monsoon-operations/">પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</p>
<p style="text-align: justify;">દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ-૨૦૨૬ અંતર્ગત પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની  બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ તળાવો, નદીપટ અને વોકળાઓની સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરવા, તાલુકા અને વોર્ડવાર રેસ્ક્યુ ટીમોની રચના, અગમચેતીના સંદેશા ઝડપથી પહોંચે તે માટે મજબૂત નેટવર્કિંગ સિસ્ટમ ઉભી કરવા તથા કંટ્રોલ રૂમ માટે ફરજ સોંપણીના હુકમો તૈયાર રાખવા સૂચનાઓ આપી હતી.</p>

<p style="text-align: justify;">ઉપરાંત દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની યાદી તૈયાર કરવા, અગરિયા અને તરવૈયાઓના સ્થળાંતર માટે વાહનો તથા આશ્રયસ્થાનોની વ્યવસ્થા, પીવાનું પાણી, દવાઓ અને વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.</p>

<p style="text-align: justify;">જિલ્લા કલેકટરએ ડેમ અને કેનાલના દરવાજાઓની ચકાસણી તથા સફાઈ, જરૂરી સ્થળોએ વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ૨૪x૭ કંટ્રોલ યુનિટ કાર્યરત કરવા તેમજ કોઝવે પર જરૂરી સાઈન માર્કિંગ કરવાની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે જ વૈકલ્પિક માર્ગોની યાદી તૈયાર રાખવા, જોખમી વીજપોલ અને તૂટેલા વીજતારોના નિકાલ, અનાજ પુરવઠાની જાળવણી તથા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, સાધનો અને રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની તકેદારી રાખવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.</p>

<p style="text-align: justify;">રોગચાળો ફેલાતો અટકાવવા માટે જંતુનાશક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સુમેળભર્યું સંકલન જળવાઈ રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રિ-મોન્સૂન તથા પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને જાનહાનિ ટાળી શકાય તે માટે જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને સજ્જ રહેવા જણાવ્યું હતું.</p>

<p>The post <a href="https://mysamachar.in/collector-rajesh-tanna-instructs-that-there-should-be-no-slackness-in-pre-monsoon-post-monsoon-operations/">પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/collector-rajesh-tanna-instructs-that-there-should-be-no-slackness-in-pre-monsoon-post-monsoon-operations/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60881</post-id>	</item>
		<item>
		<title>જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન</title>
		<link>https://mysamachar.in/ashok-leylands-karan-autolink-light-commercial-vehicle-showroom-inaugurated/</link>
					<comments>https://mysamachar.in/ashok-leylands-karan-autolink-light-commercial-vehicle-showroom-inaugurated/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 12 May 2026 06:32:05 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60878</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-જામનગર: ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રેસર એવા ‘કરણ ગ્રુપ’ દ્વારા જામનગર ખાતે અશોક લેલેન્ડના અત્યાધુનિક લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) શોરૂમ *‘કરણ ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ’*નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા સેન્ટરના ઉદઘાટન સાથે જામનગર અને આસપાસના વિસ્તારના ગ્રાહકોને અશોક લેલેન્ડના તમામ લાઈટ કોમર્શિયલ વાહનો હવે એક જ છત નીચે ઉપલબ્ધ થશે. ​આ નવ નિર્મિત શોરૂમનું ઉદઘાટન [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/ashok-leylands-karan-autolink-light-commercial-vehicle-showroom-inaugurated/">જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p style="text-align: justify;">Mysamachar.in-જામનગર:</p>
<p style="text-align: justify;">ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રેસર એવા ‘કરણ ગ્રુપ’ દ્વારા જામનગર ખાતે અશોક લેલેન્ડના અત્યાધુનિક લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) શોરૂમ *‘કરણ ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ’*નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા સેન્ટરના ઉદઘાટન સાથે જામનગર અને આસપાસના વિસ્તારના ગ્રાહકોને અશોક લેલેન્ડના તમામ લાઈટ કોમર્શિયલ વાહનો હવે એક જ છત નીચે ઉપલબ્ધ થશે.</p>
<p style="text-align: justify;">​આ નવ નિર્મિત શોરૂમનું ઉદઘાટન તારીખ 11 મે, 2026, સોમવારના રોજ સાંજે 06:00 કલાકે અશોક લેલેન્ડના હેડ-નેટવર્ક ડેવલપમેન્ટ એન્ડ સેલ્સ ટ્રેનિંગ સંજય બોઝના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓ, શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને કરણ ગ્રુપના આમંત્રિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.</p>

<p style="text-align: justify;">​મુખ્ય વિશેષતાઓ:</p>
<p style="text-align: justify;">* ​અત્યાધુનિક સુવિધા: હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જામનગર-રાજકોટ હાઈવે પર સ્થિત આ શોરૂમ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.</p>
<p style="text-align: justify;">* ​વાહનોની શ્રેણી: અહીં અશોક લેલેન્ડના પ્રખ્યાત મોડલ્સ જેવા કે દોસ્ત (Dost), બડા દોસ્ત (Bada Dost), પાર્ટનર (Partner) અને સ્ટાન્ડર્ડ પેસેન્જર બસ સહિતના લાઈટ કોમર્શિયલ વાહનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.</p>

<p style="text-align: justify;">* ​સર્વિસ અને સપોર્ટ: વેચાણની સાથે સાથે ગ્રાહકોને શ્રેષ્ઠ આફ્ટર-સેલ્સ સર્વિસ અને સ્પેરપાર્ટ્સ મળી રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.</p>
<p style="text-align: justify;">​કરણ ગ્રુપ જામનગર અને અમદાવાદમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે. આ નવા સાહસ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આયોજકોએ જણાવ્યું હતું કે, જામનગરના ઝડપી ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને આ શોરૂમ સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે વરદાન સાબિત થશે.</p>

<p>The post <a href="https://mysamachar.in/ashok-leylands-karan-autolink-light-commercial-vehicle-showroom-inaugurated/">જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/ashok-leylands-karan-autolink-light-commercial-vehicle-showroom-inaugurated/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60878</post-id>	</item>
		<item>
		<title>51,000 ની લાંચનો ચાંદલો લીધો અને&#8230;.</title>
		<link>https://mysamachar.in/51000-bribery-of-chandala-and/</link>
					<comments>https://mysamachar.in/51000-bribery-of-chandala-and/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 12 May 2026 05:51:15 +0000</pubDate>
				<category><![CDATA[અમરેલી]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60875</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂા. 51000 ની લાંચનો ચાંદલો સ્વીકારતા રંગેહાથ પકડાયા છે. આરોપીઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મનસુખભાઇ મેર અને છગનભાઇ માવજીભાઇ ડાભી [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/51000-bribery-of-chandala-and/">51,000 ની લાંચનો ચાંદલો લીધો અને&#8230;.</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>Mysamachar.in-અમરેલી:</p>
<p style="text-align: justify;">અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂા. 51000 ની લાંચનો ચાંદલો સ્વીકારતા રંગેહાથ પકડાયા છે. આરોપીઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મનસુખભાઇ મેર અને છગનભાઇ માવજીભાઇ ડાભી તેમજ ખાનગી વ્યક્તિઓ મયુરભાઇ બાબુભાઇ ખુમાણ અને અતુલભાઇ ચૌહાણનો સમાવેશ થાય છે.</p>

<p style="text-align: justify;">આ કેસની વિગતો મુજબ, ફરિયાદીના મિત્ર સામે વંડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેની તપાસ આરોપી વિજયભાઇ પાસે હતી. આરોપીએ ફરિયાદીના મિત્ર પાસે રહેલ મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે ન કરવા, ધંધો સારી રીતે ચલાવવા દેવા અને માર ન મારવાના અવેજ પેટે આરોપી અતુલભાઇ મારફતે પ્રથમ રૂા 1,25,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂા. 51000 આપવાનું નક્કી થયું હતું.</p>
<p style="text-align: justify;"></p>
<p>ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા વંડા ગામમાં ગોપીનાથ ઓઈલ મિલ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અહીં મયુરભાઇએ વિજયભાઇ વતી લાંચના 51 હજાર સ્વીકાર્યા હતા, જે નાણાં લેવા માટે પોલીસ કર્મી છગનભાઇ આવતા એસીબીની ટીમે બન્નેને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વિજયભાઇને પણ પોલીસ સ્ટેશન ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો.</p>

<p>The post <a href="https://mysamachar.in/51000-bribery-of-chandala-and/">51,000 ની લાંચનો ચાંદલો લીધો અને&#8230;.</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/51000-bribery-of-chandala-and/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60875</post-id>	</item>
		<item>
		<title>સાંસદ પૂનમબેન માડમે ઓખા–તિરુપતિ એક્સપ્રેસને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરાવ્યો</title>
		<link>https://mysamachar.in/mp-poonamben-madam-flagged-off-the-okha-tirupati-express-by-giving-the-departure-signal/</link>
					<comments>https://mysamachar.in/mp-poonamben-madam-flagged-off-the-okha-tirupati-express-by-giving-the-departure-signal/#respond</comments>
		
		<dc:creator><![CDATA[My Samachar]]></dc:creator>
		<pubDate>Tue, 12 May 2026 04:10:17 +0000</pubDate>
				<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[દેવભૂમિ દ્વારકા]]></category>
		<category><![CDATA[હાલાર - અપડેટ]]></category>
		<guid isPermaLink="false">https://mysamachar.in/?p=60871</guid>

					<description><![CDATA[<p>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા: ​જામનગર સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા ગતરોજ  રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા [&#8230;]</p>
<p>The post <a href="https://mysamachar.in/mp-poonamben-madam-flagged-off-the-okha-tirupati-express-by-giving-the-departure-signal/">સાંસદ પૂનમબેન માડમે ઓખા–તિરુપતિ એક્સપ્રેસને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરાવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><strong>Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:</strong></p>
<p style="text-align: justify;"><strong>​જામનગર સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા ગતરોજ  રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ​આ પ્રસંગે પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ઓખા અને તિરુપતિ વચ્ચે આ નવી ટ્રેનની શરૂઆતથી બે મહત્વપૂર્ણ તીર્થધામો દેવભૂમિ દ્વારકા અને તિરુપતિ બાલાજી  પરસ્પર જોડાઈ ગયા છે. આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી સુવિધા અને સરળ મુસાફરીનો લાભ મળશે.</strong></p>

<p style="text-align: justify;"><strong>​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:</strong></p>
<p style="text-align: justify;"><strong>​ટ્રેન નંબર 19560/19559 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક)</strong></p>
<p style="text-align: justify;"><strong>​ટ્રેન નંબર 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે.​વળતી દિશામાં ટ્રેન નંબર 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) તિરુપતિથી દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 05.25 કલાકે રાજકોટ અને તે જ દિવસે 11.50 કલાકે ઓખા પહોંચશે.</strong></p>

<p style="text-align: justify;"><strong>​સ્ટોપેજ:</strong></p>
<p style="text-align: justify;"><strong>​આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે. ​આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.</strong></p>

<p>The post <a href="https://mysamachar.in/mp-poonamben-madam-flagged-off-the-okha-tirupati-express-by-giving-the-departure-signal/">સાંસદ પૂનમબેન માડમે ઓખા–તિરુપતિ એક્સપ્રેસને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરાવ્યો</a> appeared first on <a href="https://mysamachar.in">My Samachar</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://mysamachar.in/mp-poonamben-madam-flagged-off-the-okha-tirupati-express-by-giving-the-departure-signal/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
		<post-id xmlns="com-wordpress:feed-additions:1">60871</post-id>	</item>
	</channel>
</rss>
